SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૪૨૫ ગણિત મૂકે તે માલુમ પડે કે જેટલી જમીનમાં પિવાયેલ જનાવરના માંસ ઉપર જેટલા લેકેનું નભે છે, એટલી જ જમીનના અનાજ ઉપર એથી સારા વધારે લેકનું પોષણ થાય એવું છે. હુંડિયામણ વગેરેની ઊભી કરેલી બનાવટી સાઠમારીમાં લેકે અનાજને બદલે બીજું વાવેતર કરે છે, તેથી અનાજ ઓછું પાકતું દેખાય છે, એ પણ હકીક્ત છે. બાકી સીધા વ્યવહારમાં માંસાહાર છૂટી જવા પર કોઈ ભૂખે મરી જાય એમ નથી. અસ્તુ. પણ આ કસાઈપણું છોડવા સામેની દલીલ જ બેટી છે. પિતાને પિતાની જાત માટે હિંસા ખટકતી હોય તે સહેજે કસાઈપણું મૂકી દેવાય. એમ અહીં પણ જાણે સ્થાવરકા અસંખ્ય જીવેની હિંસા ખટકતી હોય, ન ગમતી હોય, તે ઝટ એ છોડી દેવાય. એ જી પરની ભારેભાર દયાથી બને. જે આ દયા છે નહિ, તેથી હિંસા ખટકતી નથી, તે “બધા દીક્ષા લેશે તે વહેરાવશે કે?” આ કુર્તક કરવાને કઈ અર્થ નથી. વાત આ છે કે સર્વ જીવેની હિંસાને ત્યાગ એ શ્રેષ્ઠ ધર્મ છે એમાં કોઈ જ વાંધો ન ઊઠાવી શકે. એમ જૂઠ-ચેરી-અબ્રા-પરિગ્રહને સર્વથા ત્યાગ, કંચન-કામિની સાથે કઈ જ સંબંધ નહિ, એ આત્માને પહેલાં શુદ્ધપવિત્ર કરવા માટે અતિ આવશ્યક મહાન ધર્મ છે. પછી એના પર બીજા જ્ઞાન-ધ્યાનાદિ ધર્મના રંગ ચડી શકે. અસત્ય વગેરે પાપોથી મેલા આત્માની ઉપર તપ-જ્ઞાનધ્યાનાદિ ધર્મના એવા રંગ ક્યાંથી ચડી શકે?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy