SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ રુક્રમી રાજાનું પતન કરેલા ભાવ છે, કેમકે એવું દિલ એવા ભાવ પરલેાકમાં સહેજે પ્રગટ થઈ જાય છે. હવે જો ધમ કરતાં પણ ઇંદ્રિય–વિષયેાની ને કીતિ સત્તા–સન્માનની—તૃષ્ણાના ભાવ રાખ્યા તે એ પૂઠે લાગી સમજો ! ધર્મોનું ફળ પુણ્ય ભાગવતાં એ તૃષ્ણા જોરદાર પ્રવતી રહેવાની ! અને કહે છે ને કે ‘ ઘણાવાળાને ઘણી માયા-તૃષ્ણા’ એનું દુઃખદ પરિણામ સમજી શકે છે. રુકમી સાધ્વીના જીવે ચક્રવતી પણાનું પુણ્ય ઉપાતાં કરેલ ધર્મ આવી કાઈ તૃષ્ણા-આશંસા વિનાના અર્થાત્ નિરાશસભાવના હતા. તેથી ચક્રવર્તીની મહાસમૃદ્ધિ પ્રાપ્ત થઇ છતાં એમાં એવી આસક્તિ, તૃષ્ણા, મમતા માયા નથી. રુકમી જીવ ચક્રવર્તી દીક્ષા લે છે એક અવસર એવા આવી લાગ્યા કે આ ચક્રવતી સ'સારના કામભાગેાથી અત્યંત નિવેદ્ય-ઉદ્વેગ પામી ગયા. અંતરમાં કંઈક અંશે પણ જાગતા માણસને કે વિવેક ધરનારને એવું કાંઈક નિમિત્ત મળતાં વિવેકને વિચાર સ્ફુરે છે, અને એ એમાં આખા સોંસારને અને સમગ્ર જીવનના કયાસ કાઢી લે છે. ' સંસાર કેવા ? ઉપાદેય કે ત્યાય ? સાર કે અસાર ? જીવનમાં અંતે શું? આત્માને લઈ જવાની સુસંસ્કાર-સમૃદ્ધિ! કે કુસ ંસ્કારના ઢેર ? ગુણવભવ કે દોષપુજ !' આના વિવેક કરી યથા તારવણી કાઢીને અસત્ ત્યજી સત્ને વળગે છે.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy