SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંત વખાણ્યો ! ધર્મ અધર્મ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી ઉપરની વ્યાખ્યા આપણે આ ગાથાને આધારેજ કરી છે. આગળની ગાથામાં પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે કેઃ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે | તેહ ધર્મ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણે છે શૈલેશીકરણના અંત્ય સમયનો જે ધર્મ તે આત્માની શુદ્ધતારૂપ ધર્મ છે. એ સિવાય ચોથા સમ્યકત્વના ગુણસ્થાનથી શુદ્ધ એવા આત્મધર્મની શરૂઆત થઈ જાય છે. તે પછીના પ્રત્યેક ગુણઠાણે શુદ્ધ એવા આત્મધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. પણ તે કારણરૂપ ધર્મ છે. ચોથા ગુણસ્થાનની આગળઆગળના ગુણઠાણે જે સાધનરૂપ ધર્મ છે, તે વ્યવહારનયથી ધર્મ છે. તે જ શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં કારણ બને છે. નિશ્ચય સાધ્ય છે તો વ્યવહાર સાધન છે, અથવા બન્ને વચ્ચે કાર્યકારણ ભાવ છે. કારણના યોગેજ કાર્ય થતું હોવાથી કારણ અને કાર્યનો અભેદ ઉપચાર કરી બન્નેને એક કહી દીધા છે. શુદ્ધ નિશ્ચયનયને આધારેજ જેઓ ધર્મ માનતા હોય તેઓ શૈલેશીકરણ શિવાય બીજે કયાંય ધર્મ માની શકશે નહીં. શૈલેશીકરણના પણ અંત્ય સમયે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy