________________
મંગલાચરણ
પ્રકાશકીય નિવેદન શાસન પ્રભાવક પૂ. ગણીવર્યશ્રી ભુવનવિજયજી મહારાજશ્રી તથા પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ છેલ્લા સાત વર્ષથી મહારાષ્ટ્ર, બિહાર, બંગાલ, ઓરીસા, છત્તીસગઢ વગેરે પ્રાંતોમાં વિહાર કરીને આ બાજુની જનતાને પોતાની પ્રવચનમુનો અપૂર્વ લાભ આપી રહ્યા છે. સં. ૨૦૨૬ ની સાલમાં પૂજ્યશ્રી સમેતશિખર મહાતીર્થની યાત્રાના ધયેયથી મુંબઈથી વિહાર કરીને આ બાજુ પધારેલા. અંતરીક્ષછ ભાંડકજી વગેરે તીથની યાત્રા કરીને સં. ૨૦૨૬ ની સાલનું ચાતુર્માસ અત્રે નાગપુર શહેરમાં શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી કરેલ. ચાતુર્માસ ભવ્ય રીતે ઉજવાયેલ અને પર્યુષણ પર્વમાં મહાન તપશ્ચર્યાઓ તેમજ તપશ્ચર્યાઓની ઉજવણી નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ સહિત શાન્તિસ્નાત્રાદિ મહાન ધાર્મિક પ્રસંગો ઉજવાયેલ.
સં. ૨૦૨૬ ના ચાતુમાસમાં દશેરાના શુભદિવસે પુજયશ્રીની પ્રેરણાથી નૂતન ઉપાશ્રયના બાંધકામ નિમિતે ફક્ત વીસથી પચ્ચીસ મિનિટમાંજ રૂા. ૫,૦૦૦ જેવી રકમ ભેગી થઈ ગયેલ તેના ફળસ્વરૂપે આજે મહારાષ્ટ્રભરમાં અનેક ઉપાશ્રય નિર્માણ થયેલ જે નાગપુર તપગચ્છ સંધના ઈતિહાસમાં અનુપમ ગૌરવગાથાસ્વરૂપ બની ગયેલ છે.
સં. ૨૦૨૭ ની સાલમાં પૂજ્યશ્રીએ અત્રેથી પૂવદેશના મહાન તીથની યાત્રા નિમિત્તે વિહાર લાવેલ અને રસ્તામાં આવતા બનારસ, સિંહપુરી, ચંદ્રપુરી, પટા, નાલંદા, રાજપૂત,