________________
મંગલાચરણ
૩
દેવલોકે ગયા અને એકાદ ભવ કરીને મોક્ષે જશે. આવા મહાપુરૂષોના જીવનમાંથી સાર એ જ લેવાનો છે કે, પોતાના શરીર પ્રતિ તેઓ કેટલા બધા નિસ્પૃહ હતા .એપી મહા પુરૂષોએ જ દેહથી ભિન્ન આત્માને યથાસ્થિત સ્વરૂપે જાય કહેવાય.
નિયાણાથી તપનું લિલામ નિદાના એ આર્તધ્યાનને ચોથો પ્રકાર છે. વર્ષોથી તપ સંયમનું પાલન કરતા હોય એટલે કયારેક મન એવા ધ્યાનમાં ચડી જાય કે કેટલા બધા વર્ષોથી હું તપ સંયમનું પાલન કરું છું છતાં હજી કાંઈ તેનું ફળ દેખાતું નથી. દુષ્ટ સુખોનો ત્યાગ કરીને અદૃષ્ટ મોક્ષાદિના સુખો માટે છેલ્લા કેટલાય વર્ષોથી હું દુષ્કર તપ તપી રહ્યો છું. અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી રહ્યો છું. છતાં જે તેનું ફળ મને નહીં મળે તો હું તો ઉભયથી ભ્રષ્ટ થયો કહેવાઈશ. ન તો દૃષ્ટ સુખ ભોગવી શક્યો કે ન અષ્ટનો લાભ મલ્યો, એટલે ન રહ્યો અહીંનો કે ન રહ્યો તહીંનો. આવા આર્તધ્યાનમાં પડી જાય એટલે સુકૃતના ફળને જીવ હારી જાય અથવા તપ સંયમના ફળરૂપે નિયાણું કરે કે વર્ષોથી પાળેલા તપ સંયમનું કાંઈ પણ ફળ હો તો મને ભવાંતરમાં દેવલોકનાં સુખ મળે અથવા ઈન્દ્રનું સિંહાસન મળો ! દેવ દેવેન્દ્ર અથવા ચક્રવર્તીની. રિદ્ધિ અંગેનું નિયાણું કરે તે નિદાનાત કહેવાય.
ચિત્ર અને સંભૂતિ બન્ને મુનીઓ ઉગ્ર તપ કરતા હત્યાં