________________
મગલાચરણ
મહાજશ્રીમાં વકતૃત્વ તેમજ લેખન કળાનો સુંદર સમન્વય થયો છે, તેથી હું પાથુ છું કે મહારાજશ્રીની આવી અદ્ભૂત શકિતનો લાલ જૈન અને જૈનેતર સમાજને મળ્યા કરે.
૧૪
પુ. મહારાજશ્રી સાથે એમના શાંત અને વિનીત શિષ્ય શ્રી યશોવિજયજી મુનિ છે. તેઓ અત્યંત શાંત પ્રકૃતિના અને વિનમ્ર છે. ગુરૂશિષ્યની આવી જોડી કવચિત જ જોવામાં આવે છે. આત્મ કલ્યાણની સાધનાની સાથો સાથ અનેક જીવોને ોધ પમાડવા શાસન દેવ તેઓને તન્દુરસ્ત દીર્ઘાયુ આપે એજ અભ્યર્થના !
અંતમાં પુ. મહારાજશ્રીએ આવા અમૂલ્ય ગ્રંથની પ્રસ્તાવના લખવાની તક આપી મને ઉપકૃત કર્યાં છે, માટે અંતઃકરણપુર્વક હું તેમનો આભાર માની વિરમું છું.
૧૧, પારસી અજાર સ્ટ્રીટ કોટ, મુંબઈ. તા. ૧૭–૩–૭૬
મનસુખલાલ તારાચંદ મહેતા