SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ ૨૬૫ ગ કર્યાં સોઈ નર હાર્યો લોભપછી માનનો નખર આવે. ષડ્ડપુમાં તે ચોથા નખરે છે. પોતાને અભિમાન એવો હોય કે કોઈએ યુક્તિપૂર્વક સાચી શીખામણ આપી હોય તો પણ ખોટો આગ્રહ રાખી સ્વીકારે નહીં. વિભીષણ નાનાભાઈ હોવા છતાં રાવણને કેટલા અધાહિત વચનો કહ્યા હતા અને માસતિ સીતાજીને રામચ'દ્રજીને સોંપી દેવા માટે કેટલો આગ્રહ સેવ્યો હતો ! છતાં રાવણે મિથ્યાભિમાનને લીધે વિભીષણુની એકે વાત ન સાંભળી. અને ઉલટો મ્યાનમાંથી તલવાર ખેંચીને યોગ્ય સલાહ આપનાર વિભીષણને તું તો રાક્ષસ કુળમાં કુલાંગાર પેદા થયો એમ કહીને ભરસભામાં મારવા દોડ્યો. ત્યારે વિભીષણે એક જ વચન કહ્યું, ‘ભાઈ તું તો મહાબુદ્ધિમાન છે પણ અત્યારે તારી વિનાશ કાળે વિપરિત બુદ્ધિ થઈ ગઈ છે.' અને તે પછી વિભીષણે રામચંદ્રજીની શરણાગતિ સ્વીકારી લીધી. અંતે અહંકારને લીધે રાવણ જેવા રાવણુનો વિનાશ થયો. માનને કારણે જ દુર્યોધન અને દુઃશાસન જેવાનો પણ અંતે વિનાશ થયો. દુનિયામાં રાવણુ અને દુર્યોધન જેવાઓનો અભિમાન રહ્યો નથી તો પણ નાદાન વૃત્તિના મનુષ્યો અભિમાનનો ત્યાગ કરી શકતા નથી. કવિએ લખ્યુ છે કે : रावण दुर्योधन तणु नव रहयुं अभिमान । तो पण अ वातो सुणी, नव समजे नादान ॥ पा पलनी पण खबर नही, करे बड़ी बडी बात । जीवके पर जम फिरत है ज्यु तेतर पर बाज ।।
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy