________________
૨૫૪
મંગલાચરણ છે.
ઘરમાં નીકળ્યા હોય તો તેમને ક્રૂર મૂકાવી દેવા. વધ કરવાથી વેર ખંધાય છે અને વેરની પરંપરા ભવોનાભવો સુધી ચાલે છે. સપ વીંછીમાં જ ઝેર છે તેવું નથી. સર્પની દાઢમાં ઝેર છે, વીંછીના કાંટામાં ઝેર છે, જ્યારે દુર્જન મનુષ્યોની રગેરગમાં ઝેર છે. રાગદેષનુ ઝેર જેટલું મનુષ્યોમાં ભર્યું છે તેટલુ એર તીય ચોમાં પણ નથી. તો શું તેવા મનુષ્યોને ઠાર કરી નાખવા ? તેવી વાત છે જ નહીં. તેમને યોગ્ય શિક્ષણ આપીને સુધારવાના પ્રયાસો કરવા. સાપ અને વીંછી પણ પૂનુ વેર હોય તો જ કરડે છે, અથવા તેની પર પગ આવે તો પ્રતિકાર કરે છે. આમને આમ સાપવીંછી પણ કોઈને કરડતા નથી. માટે તેવા જીવોની પણુ જતના કરીને દૂર જંગલના પ્રદેશમાં મૂકાવી દેવા, જ્યાં ખીજાને પણ ખાધા ન પહોંચાડે. ખાકી વધે તો નહીં જ કરવો, કરાવવો પણ નહીં અને કરતા હોય તેને અનુમોદન પણ આપવું નહીં. દેવદેવીના નામ પર હિંસા કરવામાં આવે તો તે પણ ધર્મ નથી. કુળની વૃદ્ધિ માટે હિંસા કરવાથી કુળનો નાશ થાય છે પણ વૃદ્ધિ થતી નથી. ઘોરાતિઘોર હિંસાથી ત્રણ કાળમાંએ ધર્મ થતો નથી. અહિંસા એ જ પરમો ધર્મ છે.
ધ હીનની ભાવદયા અને દુઃખીની દ્રવ્યદયા
ધહીન પ્રતિ મનમાં યા ઉત્પન્ન થાય તે ભાવદયા છે અને દુઃખી પ્રતિ યા ઉત્પન્ન થાય તે દ્રવ્યયા છે. અરર ! આ જીવ ધર્મને રસ્તે ચડ્યો નથી, તેનું ભવોભવમાં શું થશે ? તે ભાવ યા.