________________
મંગલાગણ
માયા દેવો દ્વારા થઈ છે. યુકિતપૂર્વક તેણે તેના ઉરપ્રદેશ પરથી સાડીનો છેડો સરકવા દીધો, જે જોઈ શરમ અને લજજાથી સાચો નળ નીચુ જોઈ ગયો. દેવો બધાની માફક દમયંતીનુ રૂપ અનિમિષ દૃષ્ટિએ જોઈ રહ્યા. આ રીતે દમયંતીએ સાચા નળને ઓળખી લઈ તેના ગળામાં વરમાળા આરોપી. લજ્જા અને શરમનો ગુણ તો મનુષ્યને દેવથી પણ મહાન બનાવે છે.
કર
આ પછી અન્ય ગુણોપર વિવેચન કરી મહારાજશ્રીએ ‘અંતરંગ શત્રુઓનો પરિહાર’ અને ‘ઇન્દ્રિય સંયમ’ ના છેલ્લા ગુણોપર રોચક ભાષામાં વિવેચન કર્યું છે. આપણા દુશ્મનો મહાર નથી પણ આપણી અંદર જ બેઠેલા છે. ક્રોધ, માન, માયા અને લોલ તેમજ તેનો પરિવાર એ જ આપણા દુશ્મનો છે અને પાપ કર્મને વધારનારા છે. આ સમગ્ર સંસાર કુરૂક્ષેત્રના યુદ્ધના મેદાન જેવું છે, પણ ત્યાં આપણે કૌરવ પાંડવોની માફક ખતરનાક યુદ્ધ લડવાનું નથી, આપણે યુદ્ધ તો આપણી જાત સાથે, આપણી ભૂલો કુટેવો અને સ્ખલનાઓ સામે કરવાનુ છે. આ યુદ્ધમાં જ્યારે આપણી સંપુર્ણ જીત થશે ત્યારે જન્મ-મરણના ચક્કરમાંથી આપણે સદા માટે મુકત થયું. ભગવાન મહાવીરે તેથી જ કહ્યું છે. મેળ રેવ મુન્નાદિ જ તે ગુોળ વખો ? ખુઘહિં હજુ પુત્તમ । (આચારાંગ ૫-૧૫૩) અર્થાત હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને યોગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે.
સૌથી છેલ્લો પણ સૌથી વધુ મહત્ત્વનો ગુણ ‘ઇન્દ્રિય સયમ’ છે. આ ગુણુ વિષે મહારાજશ્રીએ ગ્રંથમાં પારદર્શક વર્ણન કરેલું છે. વેદ, ઉપનિષદમાં ઋષિઓએ આત્માને ઈન્દ્રની ઉપમા આપી છે અને ઇન્દ્રિયોને ઇન્દ્રાણીઓની ઉપમા આપી છે. ફો થૈ આત્મા ગૃહસ્થાશ્રમમાં જેમ આજે પતિદેવો પર પત્નીઓનું વર્ચસ્વ જોવામાં આવે છે, તે જ રીતે સંયમના અભાવે ઇન્દ્રિયો માણસને ફાવે તેમ નચાવે છે. માલિક સેવક બની ગયો છે અને સેવકો માલિક બની બેઠા છે. જે