________________
૨૨૧
મંગલાચરણું
દાગ્રહ રહિત અને ગુણના પક્ષપાતી થવુ
વીસમા અને એકવીસમા ગુણની વ્યાખ્યામાં પૂ. કલિકાલસજ્ઞ હેમચ'દ્રાચાર્યજી લખે છે કે : '
सदाऽनभिनिविष्टश्च पक्षपाति गुणेषुच ।
કોઈપણ ખાખત અંગેનો મનમાં અભિનિવેષ નહીં રાખવો. અભિનિવેષ મહાભયંકર દૂષણ છે. પોતાના કોઈ પણ મંતવ્ય અંગેનો કદાગ્રહ બંધાઈ જાય તે અભિનિવેષ. પછી તો ગધ્ધા પુચ્છ પકડ્યા જેવું થાય, કેમે પકડયું મુકાય નહીં. અંદરથી પોતે જાણતો પણ હોય કે મેં ખોટું પકડ્યું છે છતાં પોતાની વાતનો પોતાને કદાગ્રહ એવો બંધાઈ જાય કે મૂકી શકે જ નહીં. કેટલાકોને એકાંત વ્યવહારનો આગ્રહ ખંધાઈ જાય છે, તો કેટલાકો એકાંતવાદી બની જાય છે, તો કેટલાકો એકાંત જ્ઞાનવાદી બની જાય છે. અંદરખાને તો કેટલીકવાર તેઓ સમજતા પણ હોય છે કે મામાં બન્નેની સંપુર્ણ જરૂર છે, છતાં વોરાભાઈના નાડાની જેમ પોતાના મિથ્યા મંતવ્યનો પણ ત્યાગ કરીને સમ્યગ્ માન્યતામાં આવી શકે નહીં. બસ આને જ મિથ્યા અભિનિવેષ કહેવામાં આવે છે.
જ્ઞાનીઓ તો ત્યાં સુધી ક્માવે છે કે
: