SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ ૨૧૩ હરી પણ લે છે. જેમ પાણી એ જીવન છે પણ કોઈ માણસ ઊંડા પાણીમાં ડુબકી લગાવે અને તરતા પશુ ન આવડતુ હોય તો તેને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે. દુનિયામાં પ્રમાણોપેત હોય ત્યાં સુધી બધું સારૂં છે. હદ ઉપરાંત થઈ જાય એટલે પરિણામ વિપરિત જ આવે. ભૂખ લાગેલી ન હોય અને અમૃતભોજન આરોગે તોએ ઝેરરૂપે પરિણમે, કાળ વીતી ગયા પછી ભોજન કરે તો અન્ન ઉપર દ્વેષ આવી જાય અને શરીરમાં પણુ અણુધારી પીડા ઊભી થઈ જાય. અગ્નિ ઓલવાઈ ગયા પછી ઇંધન શું કામ લાગે ! આ ગાથામાં લખ્યું છે કે, યોગ્ય કાળે દિવસના જ ગૃહસ્થ ભોજન કરે, તે પણ શરીરને અનુકુળ આવે તેવુ સાત્ત્વિક ભોજન લે તે જ સાત્મ્ય કહેવાય. કેટલાક ખલવાન મનુષ્યો માટે કહેવાતું હોય છે કે, આ તો પત્થર ખાય તોએ પચી જાય, પણ તેટલાથી તે કાળફૂટ ન ખાય. ખાય તોએ પચી જાય આ કહેવત તો તેની જઠરાગ્નિની તીવ્રતાને સૂચવનારી છે. માટે ગૃહસ્થ અજીણુ ભોજનનો ત્યાગ કરે અને યોગ્ય કાળે પથ્ય ભોજનને કરનારો હોય, આ સોળમા અને સત્તરમા ગુણુ ઉપરની વ્યાખ્યા પૂર્ણ થઈ. પત્થર
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy