________________
૧૦
મંગલાચરણ
હોય તેવી દુર્ગધ છૂટે, વા છૂટ થાય તેમાંથીએ તેવી જ દુર્ગધ છૂટે, આ બધા લક્ષણો પહેલા પ્રકારના અજીર્ણના છે. બીજા પ્રકારનો વિદગ્ધ અજીર્ણ થયેલો હોય તો ઝાડામાં ખરાબ ધુમાડાના જેવી દુર્ગધ આવે. ત્રીજા પ્રકારના વિષ્ટબ્ધ અજીર્ણમાં શરીર ભાંગે, શરીરમાં કળતર વગેરે જણાય. અને ચોથા રસશેષ અજીર્ણમાં શરીરમાં જડતા આવે, શરીર તદન અકડાઈ જાય અને શિથિલ થઈ જાય, અન્ન ઉપર પણ અરૂચિ થઈ જાય, ખાટા ઓડકાર આવે. આ બધા અજીર્ણના સ્પષ્ટ ચિન્હો છે. આ બધા દોષો તો અજીર્ણથી ઉત્પન્ન થાય છે પણ કયારેક મૃત્યુ પણ અજીર્ણથી થાય છે. આવા અનેક દોષો અજીર્ણમાંથી ઉત્પન્ન થતા હોવાથી અજીર્ણ ભોજનનો પરિત્યાગ અત્યંત હિતાવહ, એટલે આપણામાં કહેવાય છે કે પાખીના દિવસે ઉપવાસ કરવામાં આવે તો તેના જેવી એકે બીજી દવા નથી. તેનાથી કર્મ નિર્જરાનો અપૂર્વ લાભ તો ભલે જ પણ સાથે સાથે શરીરનું સ્વાથ્ય પણ ઘણું સારું રહે. ઉપવાસ કરનારાએ કર્મ નિર્જરાના ધ્યેયથી કરવાનો પણ જ્યાં તાત્વિક ફળ મળે ત્યાં આનુસંગિક ફળ તો મળે જ છે. જ્યાં ખેતરમાં અનાજ પાકે ત્યાં ખડ તો એની મેળે પાકે છે. બાર મહીનાના ચૌવિહારે માસી
તપનો અપૂર્વ લાભ અજીર્ણ થાય એટલે મળ અને વા છૂટની ગંધમાં ફેરફાર થઈ જ જાય છે. શરીર પણ એકદમ ભારે લાગે.