SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ મંગલાચરણ પૌદ્ગલિક સુખોની અસારતા ન સમજાય ત્યાં સુધી જિનવાણીનું શ્રવણુ સફળ ન કહેવાય. સંસારિક સુખો ક્ષણપૂરતા છે, અને તેની પાછળ દુ:ખ અનંતકાળનાં છે. માટે ભૌતિક સુખોનો મોહ રાખવો તદ્ન નકામો છે, અને તે પરિણામે અતિ દુઃખદાયક છે. આટલું જેને સમજાઈ ગયુ. તે મહાજ્ઞાની. સતમ હૃદયમાં શીતલતા લાવનાર શ્રવણ ધ બિન્દુની ટીકામાં લખે છે કે : क्लांतमुपोज्झति खेदंतप्तंनिर्वाति बुध्यतेमूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्त सुभाषितंचेतः ॥ પ્રત્યેક આત્માઓ માટે શાસ્ત્ર શ્રવણ અત્યંત લાભદાયક છે. શ્રવણુ જે છે તે ચિત્ત અંદરથી ઉદ્વિગ્ન અનેવુ હોય તો તેના ખેતને દૂર કરે છે. મન સંતસ બનેલું હોય તો શાસ્ત્ર શ્રવણ અંદરમાં શીતલતા પ્રગટાવે છે. ભલે મૂઢ કેમ નથી હોતો તે પણ શ્રવણથી ખોધ પામે છે. આકુળવ્યાકુળ બનેલા મનુષ્યમાં પણ જિનવચનના શ્રવણના પ્રભાવે સ્થિરતા આવી જાય છે અને પરિણામે તે અનાકુળતાના અનુપમ સુખને અનુભવતો થઈ જાય છે. માટે ગુણુપ્રાપ્તિમાં શાસ્ત્ર શ્રવણુ અત્યંત ઉપયોગી હોવાથી મનુષ્યોએ અહર્નિશ ધર્મ શ્રવણ કરવુ જોઇએ.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy