SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ મંગલાચરણ પંદરમો ગુણ અહર્નિશ ધર્મશ્રવણ પંદરમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે ધર્મનું શ્રવણ કરવામાં દરેક મનુષ્યોએ હંમેશા તત્પર રહેવું જોઈએ. શાસ્ત્રોમાં મહાપુરૂષોએ ફરમાવેલું છે કે : सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । મનુષ્ય કલ્યાણનો માર્ગ શ્રવણથી જાણે છે અને પાપ કર્મને પણ શ્રવણથી જાણે છે. પુણ્ય પાપ બન્નેને શ્રવણથી જાણે છે. બન્નેને જાણ્યાબાદ જે શ્રેયકારી હોય તે જીવનમાં આચરે એટલે કે પુણ્ય કર્મ આચરે અને પાપનો પરિત્યાગ કરે, શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ જાણું હોત તો ખ્યાલ આવત કે જિનવાણીનું શ્રવણ કેટલું મહત્વનું છે. “Tળોતિ તો આવના” શાસ્ત્રોનું જે શ્રવણ કરે તે શ્રાવક. આજે રેડીયો ઘેર ઘેર સૌ સાંભળે છે પણ એટલામાત્રથી શ્રાવક ન કહેવાય. જિનવાણીનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. અપૂર્વ રસાયણ નિદા કુથલી સાંભળવાની પણ કેટલાક શ્રાવક અને શ્રાવિકાઓમાં ભયંકર કુટેવ હોય છે. તેનાથી તો કરણીનું ફળ ધોવાઈ જાય છે. નિન્દા ને વિકથાનો ત્યાગ કરીને ધર્મકથા જરૂર સાંભળવી. તેમાં એકાંતે લાભ છે. જિનવાણીનું શ્રવણ અનેરા ઉલ્લાસથી કરવું જોઈએ. અત્યંત સૌંદર્યવાન તરૂણ સ્ત્રીથી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy