SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ મંગલાચરણ ધર્મ કવાની મનમાં ઈચ્છા થાય તે પણ ઈચ્છા યોગ બુદ્ધિના આઠ ગુણોમાં પહેલો ગુણ શુશ્રૂષા અને ખીજો ગુણુ શ્રવણુ છે. ધર્મ સાંભળવાની ઈચ્છા તે શુશ્રૂષા. અંદરની અભિરૂચિ વિના ધમ સાંભળે ખરો પણ તેમાં રસ જામે નહીં. રાજાને ઊંઘ ન આવતી હોય એટલે પુરોહિતને કથા કરવાનું કહે. પુરોહિત કથા કરે એટલે રાજા ઊંધી જાય થોડીવાર રાજા હુ હું કરે અને પછી આંખમાં નિંદ ભરાવવા માંડે. શુશ્રૂષા વિના કોઈને પણ ધર્મ સંભળાવવો તે રાજા આગળ કથા કરવા ખરાખર છે. કોઈ પણ ધર્મ ક્રિયા કરવાની મનમાં ઈચ્છા પ્રગટે એ પણ ઇચ્છાયોગ છે અને જ્યાં યોગ છે ત્યાં સિદ્ધિ છે. શ્રવણ ધારણ ગ્રહણ વગેરે બુદ્ધિના ગુણો શ્રવણ બુદ્ધિનો ખીજે ગુણુ છે. શ્રવણ કર્યાપછી ગ્રતુણુ કરવું તે પણ બુદ્ધિનો ગુણ છે. આજે શ્રવણુ તો મનુષ્યો ખૂબ કરે છે પણ શ્રવણ કર્યાં પછી ગ્રહણ કરવુ જોઇએ. એક કાનેથી સાંભળીને ખીજે કાનેથી કાઢી નાખે તો શ્રવણ શી રીતે સફળ નીવડે ? ગ્રહણ કર્યાં બાદ હૃદયમાં ધારણ કરવું જોઇએ, તે બુદ્ધિનો ચોથો ગુણુ થયો. તેના ફળ સ્વરૂપે સમ્યગજ્ઞાન થાય તે વિજ્ઞાન કહેવાય. સંદેહ અને વિપર્યાસ રહિત જે જ્ઞાન તે વિજ્ઞાન.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy