SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મગલાચરણ બુદ્ધિનો ઉપયોગ કર્તા થઈ જાય, પછી તો માનવતાનો જ્યાં જુઓ ત્યાં સુકાળ વર્તાઈ જશે. આજે જે માનવતાનો છપ્પનીયો દુકાળ પડયો છે તેની જગ્યાએ સૃષ્ટિમાં ચોમેર માનવતાનાં સંગળ ગીતો ગવાતાં હશે. માનવમાં વૃત્તિની જગ્યાએ પરમાની ભાવના પ્રગટે એટલે ધીમે ધીમે માનવતા વિકસવા માંડે અને પરંપરાએ તે માનવ પૂર્ણતાને શિખરે પહોંચે. સ્વા મૌદ્ધિક વિકાસ સાથે હૃદય વિકાસની પણ જરૂર કલિકાલસર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ માર્ગાનુસારીતાના પાંત્રીસ ખોલની વ્યાખ્યા કરવામાં માનવતાનું સુમધુર સંગીત છેડેલ છે. આ ગુણોનું પાલન કરનારમાં યોગ્યતા એવી પ્રગટે કે, ઉત્તરોત્તર વિકાસ સાધતે સાધતે તે જીવ સમ્યગ્ જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી શકે. ચૌદમા અને પદરમા ગુણુની વ્યાખ્યામાં લખે છે કે ઃ अष्टभिर्धीगुणैर्युक्त, शृण्वानो धर्ममन्वहम् । ગૃહસ્થના સામાન્ય ગૃહસ્થધર્મની વ્યાખ્યા ચાલે છે તેમાં લખે છે કે, ગૃહસ્થ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય, બુદ્ધિના વિકાસપર તો સમગ્ર જીવનનો આધાર એટલે બુદ્ધિના આઠ ગુણ ઉપરોક્ત ગાથામાં પ્રરૂપ્યા છે. જેવો બુદ્ધિનો વિકાસ તેવો જ સામે હૃદયનો વિકાસ એટલે સોનામાં સુગંધ. દુઃખીને જોતાં હૃદયમાં દયા ઉભરાઈ આવે તે હૃદયનો વિકાસ અને તત્ત્વાર્થની જીવનમાં સમ્યગ્ વિચારણા તે બુદ્ધિનો વિકાસ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy