SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મગલાચરણ સારો હોય, અગલમગલમાં ધાર્મિક માણસો રહેતા હોય, જિન મંદિર, ઉપાશ્રય વગેરે નજદીકમાં હોય તેવા વિસ્તારમાં રહેવાથી પોતાનો ધર્મ પણ સચવાય. પ્રતિદિન જિનેશ્વર ભગવાનના દનપૂજનનો અપૂર્વ લાભ મળે. નજદીકમાં ઉપાશ્રય હોય એટલે ગુરૂ ભગવંતોના દનવંદનનો તેમ જ જિનવાણીના એ શબ્દો કાને પડવાના અપૂર્વ લાભનો અવસર કયારેક મળી શકે. તેવા મહાન પવિત્ર આલંબનો નજદીકમાં હોવાથી બચ્ચાઓમાં પણ સંસ્કાર સારા પડે. શરૂઆતથી જીવનમાં પડેલા ધના સંસ્કાર જ મોટી ઉંમરે - પલ્લવિત અને છે. માટે ગૃહસ્થે પોતાના ધાર્મિક અને અધ્યાત્મિક જીવનને ટકાવી રાખવા અને વિકસિત કરવા રહેઠાણ ઊભું કરવામાં પાડોશનો પહેલો ખ્યાલ રાખવાનો. ઘરમાં પ્રવેશ માટે મ ગલઢાર હોય પણ એટલાબધા દ્વાર ન હોય કે કયારેક અમંગલ જેવું થઇ જાય તેમ જ ગૃહસ્થનુ રહેઠાણુ અંદર પ્રવેશ કરવાના અને અહાર નિકળવા માટેના અનેક દ્વારોથી રહિત હોય. ઘરમાં વધારે પડતા જવાઆવવાના દરવાજા હોય તો કયા દરવાજેથી ક્યો માણસ અને કયા ટાઈમે ઘરમાં પ્રવેશ કરી જાય તેની ઘરના માલિકને પણુ બીજી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો ખબર પડે નહીં. અને તેવી તક જોઈને દુષ્ટ માણસો ઘરમાં ઘૂસી જઇને કયારેક ઘરને ઘણું મોટું નુકશાન પહોંચાડી દે. ગૃહસ્થના ઘરમાં વિધવિધ પ્રકારની સુખ સામગ્રી હોય, રાચરચીલું પણ હોય. સુખી અને સપન્ન ગ્રહસ્થ હોય એટલે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy