SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મંગલાચરણ સમ્યત્વ એ જ આત્માનો ખરો સાથી સભ્યશ્રદ્ધાન એ સમ્યકત્વનો વિષય છે. શ્રદ્ધાન સમ્યમ્ થાય એટલે જ્ઞાન પણ સમ્યગૂ થઈ જાય, અને ચારિત્રને પણ પરંપરાએ સમ્યમ્ શ્રદ્ધાન અને સમ્યગ જ્ઞાન ખેંચી લાવે. આ ગુણો જેનામાં અંશે પણ પ્રગટેલા હોય તે આર્થિક દૃષ્ટિએ ગમે તેટલો કમજોર હોય છતાં આંતર દૃષ્ટિએ તે મહાવૈભવશાળી છે. શમ સવેગાદિ સમ્યકત્વના પરિણામવાળો રંક હોય તો પણ તે રાજા સમાન છે. અને સમ્યકત્વના પરિણામ વગરનો રાજા હોય તો તે રંક સમાન છે. ભવોભવમાં સમ્યક્ત્વ એજ આત્માનો ખરો સાથી છે. અને મિથ્યા શ્રદ્ધાનુરૂપ જે મિથ્યાત્વ છે, તે જ આત્માનો કદરમાં કટ્ટર શત્રુ છે. કરણી પાર ઉતરણ આ રીતે આંતર વૈભવનું સ્વરૂપ જેને સમજાયું તે જીવ ધન વૈભવાદિ બાહ્ય વૈભવમાં રાચે નહીં. પછી એ માટે અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત જેવાં પાપ તો તે આચરે જ શેનો ? તે તો સારી રીતે સમજતો હોય છે કે, જે વૈભવાદિ માટે આજે પાપ આચરવામાં આવે છે તે વૈભવાદિ ક્ષણભંગૂર અને નાશવંત છે.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy