SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧૨૫ કે ઓફીસર હોય તે પણ માણસ જેવા માણસ જ હોય છે, બે હાથપગ તેમને હોય છે, બે હાથપગ આપણને પણ હોય છે. જ્યારે તેઓ પણ માણસ જેવા માણસ જ છે, તો તેમનાથી ભય લાગવાનું કારણ શું ? સત્તા જે તેમને અપાયેલી છે તે તો રક્ષણ માટે અપાયેલી છે. કોઈના નાશ માટે સત્તા અપાયેલી નથી, છતાં માનવી તેમનાથી ભય કેમ પામે છે ? ખરી રીતે માનવીને માનવીનો ભય હોતો નથી. માનવીને ભય પોતાના દુષ્કૃત્યો અંગેનો હોય છે. પોતાના પાપ કમ જ માનવીને અંદરથી કોરી ખાતા હોય છે. આજે ભલભલા શ્રીમંતોને એક સામાન્ય પટ્ટાવાળાને સલામ ભરવી પડે છે. અને પટ્ટાવાળા કેટલીકવાર શ્રીમંતોને ધધડાવી પણ નાખે છે, અને તેમને મુંગે મોઢે સાંભળી લેવું પડે છે. કારણ કે પાપ એવી ભયંકર વસ્તુ છે જે અંદરથી આત્માને નબળો કરી નાખે છે. - વ્યાપારીના ચોપડાના પાને પાને જો નીતિ ઝળહળતી હોય તો પછી અમલદારો કે ઓફીસરો તેનું શું બગાડી શકવાના છે ! એકવાર અમલદારોને વિશ્વાસ બેસી જાય છે, આ વ્યાપારીનું નૈતિક ધોરણ ઘણું જ ઊંચું છે, પૈસાના પ્રલોભનમાં પડીને તે પ્રાણાતે પણ અનીતિ આચરતો નથી અને તેના ખાતાવહીમાં લેશ પણ ગડબડગોટાળા નથી, તેવા પ્રામાણિક વ્યાપારીઓના કેટલીકવાર અમલદારો કે ઓફીસરો ચોપડાએ તપાસતા નથી, અને કયારેક અચાનક દુકાનમાં આવી ચડ્યા હોય તો એ સલામ ભરીને રવાના થઈ જાય, ધનના લોભે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy