________________
૧૧૩
મંગલાચરણ
રાખી હોય કે, આ તો ખાનદાન હશે અને નીકળી પડે નાદાન, તો કરવું શું ? પુરૂષનો પિતા ખુબ ધન વૈભવથી સૉંપન્ન હોય અને કન્યાનો પિતા નખની સ્થિતિનો હોય એટલે પુરૂષ કયારેક કન્યાની અવજ્ઞા કરે અને પરિસ્થિતિ એવી ઊભી થાય કે, કયારેક બન્નેનો ઘર સંસાર સળગી ઊઠે. પુરૂષ વાતવાતમાં મેણા મારે કે, તારા પિતાએ તને કરિયાવરમાં શું આપ્યું છે ? તુ તારા પિયરથી શું લઈને આવીતી ? આજે મોટે ભાગે તેવું જ ચાલી રહ્યું છે. ઘણા વર્ષો પહેલાં કન્યાવિક્રયનો યુગ હતો, હવે હમણાં હમણાં વરવિક્રયનો યુગ પ્રવર્તી રહ્યો છે.
પહેલાના કાળમાં ગુણ જોઇને સંબધો અધાતા આ કાળમાં રૂપ સૌંદય પહેલુ' જોવાય છે
ઘણી જગ્યાએ એવું પણ બનતું આવે છે કે, વરપક્ષવાળા સામેથી કન્યાપક્ષવાળાને કહે કે શું આપવાના છો ! આટલુ’આટલું તો આપવું જ પડશે ! એટલે કન્યાના માત-પિતાને ખેંચાઈને પણ કરવું પડે. કન્યા પિતાને ત્યાંથી માલ લઈને આવી હોય, તો તેને બધા ચાહે ! અને માલ ખરાખર ન લાવી હોય, તો કંકાસ ઊભો થઈ જાય અને પિયર ગયા પછી ઝટ તેડુ પણ ન કરે. અને ફરજ પાડે કે સોફાસેટ, રેડીયો, ઘડીયાળ વગેરે આટઆટલી વસ્તુઓ તારા પિતાએ આપવી પડશે તે પછી જ તેડું થશે અથવા પિયરિયા તેડું કરવા આવે તો તેને પણ સંભળાવે કે, આટઆટલી વસ્તુઓ આપવાની કબુલાત આપો પછી જ પિયર