________________
૧૦૮
મંગલાચરણ
કલંકને ટાળવા સુભદ્રાએ કાઉસગ્ન કર્યો અને શાસનદેવીનું આસન કંપાયમાન થતાં શાસનદેવી તરત જ હાજર થઈ ગઈ. સુભદ્રા સતિપરના કલંકને ઉતારવા શાસનદેવીએ ચંપાનગરીના ચારેય દરવાજા બંધ કરી દીધા. લોકો સવારના સમયે પરેશાન થઈ ગયા. જવા આવવાનો બધો વ્યવહાર બંધ થઈ ગયો, તે કાળના લોકો સંડાસ પણ મોટે ભાગે નગરની બહાર જતા. પાણી ભરવા પનિયારીઓ પણ મોટે ભાગે નગરીની બહાર નદી કિનારે જતી. દ્વાર ખોલવાના રાજા અને પ્રજાએ મળીને ઘણું પ્રયાસો કર્યા, દરવાજાપર મોટા ઘણા પ્રહારો કર્યા, છતાં દ્વાર ખુલ્યા જ નહીં. એટલામાં આકાશમાં આ મુજબની દેવ વાણી થઈ આકાશે ઊભા રે દેવતા, બોલે એહવા બોલ સતિ જળ સિંચે જ ચાલણી, તો રે ઉઘડશે પોળ
રાજા મન આણંદિયો, નગર ઘણી છે નાર
અંતેઉર છે મારું, સતિય શિરોમણિ સાર અંતેઉર કર્યું એકઠું, કુવે કાંઠે નવ માય કાચે તાંતણે ચાલણી, ટૂટી જાયે તાગ
અંતેઉર થયું દયામણું, રાજા થયો નિરાશ ' ' ઘમંડ હતું તે મનમાં રહ્યું, ધિક્ ધિક મુજ ઘરવાસ
આકાશમાં દેવવાણી એવા પ્રકારની થઈ કે, કાચા સૂતરના તાંતણવડે ચાલણને બાંધીને, તે ચાલણી દ્વારા કોઈ સતિ સ્ત્રી કુવામાંથી જળ કાઢીને આ દરવાજાઓ પર છાંટશે,