________________
૧૦૪
મંગલાચરણ
કુલ શીલની સમાનતા અંગેની સમજ
તેવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાને બધા આત્માઓ શક્તિમાન હોતા નથી. હવે તેવા આત્માઓ ગૃહસ્થાશ્રમમાં પડ્યા વિના રહેવાના નથી એટલે લગ્ન જીવનની મર્યાદા બતાવી કે, વિવાહ કરે તો સંસ્કારી કન્યા સાથે કરે કે, જેના કુળ શીલ સમાન હોય અને ગોત્રની અપેક્ષાએ અન્ય ગોત્રીજ હોય, પોતાના પિતા અને પિતામહ વગેરે પૂર્વજોની જે વંશપરપરા તેને કુળ કહેવામાં આવે છે. અથવા જેને જૈન કુળમાં જન્મ મળ્યો હોય તેને પણ ઉત્તમ કુળ કહી શકાય. તેવા કુળમાં જન્મેલા સાથે વિવાહ થાય તે પણ સમાન કુળ કહેવાય. અને મદિરા, માંસ, જુગાર રાત્રીભોજ– નાદિનો ત્યાગ તેને શીલ કહેવામાં આવે છે. શિકાર, ચોરી, વેશ્યાગમન, અને પરસ્ત્રીગમનનો ત્યાગ તેને પણ શીલ કહેવામાં આવે છે. એક પુરૂષથી ચાલ્યો આવતો જે વશ અને તે વંશમાં જે જે ઉત્પન્ન થયાં હોય તે એક ગોત્રનાં કહેવાય. આવી રીતે વર અને કન્યા બન્નેના ગોત્ર એક થઈ જતાં હોય તેની સાથે વિવાહ ન કરવો. જેમની સાથે ઘણા લાંબા સમયથી ગોત્રનો સબંધ તૂટી ગએલો હોય તેવાની સાથે ગૃહસ્થ વિવાહનો સંબંધ જોડી જોડી શકે. ગોત્રની અપેક્ષાએ ભલે અન્ય ગોત્રીજ હોય પણ જે વ્યક્તિએ કોઈ ભયંકર અનુચિત કાર્ય કરેલું હોય, જેનાથી જ્ઞાતિના અથવા દેશના ઘણા લોકો સાથે જેનો વિરોધ થયેલો હોય અથવા ઘણા લોકો જેનાથી તેવા કોઈ અનુચિત કાર્યને લીધે વિરૂદ્ધ