________________
મંગલાચરણ
૮s.
કર્મોના ક્ષય ક્ષયોપશમથી પ્રગટતા આત્મિક ગુણો
| નિશ્ચયનયની દૃષ્ટિએ જોકે જીવ કર્મના ગુણને કરતો નથી, અને કર્મ જીવના જ્ઞાનાદિ ગુણને કરતા નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ આ વાત જેટલી સત્ય છે તેટલી જ વ્યવહારનયની દૃષ્ટિએ એ વાત પણ તદ્દન સત્ય છે કે, જેમ જેમ મોહનીયાદિ કર્મોનો ક્ષય ક્ષયોપશમ અથવા ઉપશમ થાય, તેમ તેમ આત્મિક ગુણ પ્રગટે છે. એટલે કે કર્મો ભલે આત્માના ગુણને કરતા નથી, કારણ કે, આત્માના ગુણો અત્માની અંદર સત્તામાં રહેલા છે. જેમ જેમ આત્મા પરથી કર્મોનાં આવરણો હઠતાં જાય તેમ તેમ ગુણો પ્રગટતા જાય છે. કર્મોનો ક્ષય થાય તો ક્ષાયિકભાવે ગુણ પ્રગટે છે. અને ક્ષયોપશમ થાય તો ક્ષયોપથમિક ભાવે પ્રગટે છે અને ઉપશમ થાય તો ઔપથમિક ભાવે ગુણ પ્રગટે છે. ઉપશમ મોહનીય કર્મનું જ થાય છે, એટલે ઔપથમિક ભાવે સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. જ્ઞાનાવરણયાદિ કર્મોનો ક્ષય અથવા ક્ષયોપશમન થાય છે. એટલે ક્ષાયિક અથવા ક્ષાયોપથમિક ભાવે જ્ઞાનદર્શનાદિગુણ પ્રગટે છે. ઔદયિક ભાવમાં ન જોડાતાં જીવ પોતાના સ્વભાવમાં
સ્થિત બને તે જીવ માટે અત્યંત હિતાવહ
તેવી રીતે નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કર્મોના ગુણને કરતો નથી, પણ પૂર્વનાં કર્મો ઉદયમાં આવતાં આત્મામાં રાગદેષાદિને વિકારી ભાવો ઉત્પન્ન થાય છે. અને તે ભાવોન