SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ મંગલાચરણ દેશમાં પણ ભિચારા એવા અધમ કુળોમાં જનમ્યા હોય છે કે, જે કુળોમાં કર્મોના વિપાક સંબંધી અથવા તત્વ સંબંધી લેશ પણ સમજ હોતી નથી. તેવા સમયે કર્મો ઉદયમાં આવ્યા હોય, તો તત્વની સમજના અભાવે તેવા. જીવો મનુષ્ય ભવમાં પણ હાયહોય કરીને અનેક ગણું નવા કર્મો બાંધે ! અશુભના ઉદયે ઉપરાઉપરી દુઃખો આવવા. છતાં, સમતા ભાવમાં રહીને અંદરના પરિણામ ટકાવી રાખવા, એ સહેલી વાત નથી. ખરી ધર્મની લેણ્યા વાળો જીવ હોય. તે જ પોતાના પરિણામને બગડવા ન દે. અને સમતા. ભાવમાં પોતાના આત્માને રાખીને થોકબંધ નિર્જરા સાધી શકે. કર્મોદયની અસર આત્માપર છે જ વિભાવ દશાને લીધે આત્માએ પોતે જ કર્મો બાંધેલા હોવાથી તે ઉદયમાં આવતાં આત્માના પરિણામ પર તેની અસર પડ્યા વિના રહેતી નથી. કોઈ એવી પ્રરૂપણ કરતા. હોય કે, કર્મોદયની અસર આત્મા પર પડતી જ નથી, તો સમજવું કે, તેઓ તદ્ધ એકાંત વાદી છે. કર્મોદયની અસર આત્મા પર ન હોય તો આ સંસાર જ ન હોય ! તો પછી આ અનાદિનો રખડપાટ કોને આભારી છે ? તેઓ એમ કહે કે, રાગદેષને કારણે જીવનો સંસાર છે, તો રાગદેષ જીવમાં ક્યાં કારણે છે ? ત્યાં એમ માનવું જ પડશે કે રાગદ્વેષ જીવમાં કર્મોદયને કારણે છે, જે તેમ ન હોય, તો રાગ ને દેવ જ્ઞાન ને દર્શનની જેમ જીવનો સ્વભાવ થઈ પડશે. તે તો
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy