________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પુસ્તકની પછીની આવૃત્તિઓમાં ભંડારની આવક અંગે મૌન સેવવામાં આવ્યું છે. ત્રીજી આવૃત્તિના મૃ. ૧૪, ૧૫૭, ૧૫૯, ૧૬ર ઉપર “પૂજા દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે પ્રથમ આવૃત્તિની વાતને કેન્સલ કરવામાં આવી છે. આવું શા માટે કરવામાં આવ્યું? તેનો કોઈ ખુલાસો તે પુસ્તકમાં કરવામાં આવ્યો નથી.
(બ) જુલાઈ-૨૦૧૩, ના મુક્તિદૂતમાં (ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરિજી મ. આદિ ચાર લેખકશ્રીઓ દ્વારા) ધાર્મિક દ્રવ્યના વહીવટ અંગે આવક-જાવકના જે કોઠા બતાવ્યા છે, તેમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાં ક્યાંયે પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારની આવક અંગે ઉલ્લેખ કરાયો નથી.
(ક) ચાર લેખકશ્રીઓ દ્વારા લિખિત “ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” પુસ્તકમાં પણ ભંડારની આવક અંગે મૌન સેવવામાં આવ્યું છે.
(ડ) ““શ્રીગોવાલીયા ટેક જૈન સંઘ આયોજિત – પં.શ્રીમેઘદર્શન વિ.મ. પ્રેરિત ‘મુંબઈના બધા સંઘોના મોવડીઓનું મિલન', (તા. ૨૮૯-૨૦૧૪)” - આ મિલનમાં વહેંચાયેલા પેમ્પલેટમાં પણ ભંડારની આવક અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
(ઈ) આ રીતે તે વર્ગ દ્વારા વિ.સં. ૨૦૪૪ પછી પ્રકાશિત તમામ સાહિત્યમાં ભંડારની આવકને ગુમ કરી દેવામાં આવી છે, આવું કેમ? તેનો ખુલાસો તે વર્ગે કરવો જોઈએ.
આવું શા માટે? – જિજ્ઞાસુઓને સ્ટેજે પ્રશ્ન થાય કે, આવું તે લોકોએ શા માટે કર્યું હશે ? તેના કારણો તે લોકોએ જણાવ્યા નથી. એ સ્પષ્ટ જણાવે તો તેઓની વિચારધારા-માન્યતાની શાસ્ત્રનિરપેક્ષતા ખુલ્લી પડી જાય તેમ છે. તેવું કરવામાં નીચેના કારણો સ્પષ્ટપણે પ્રતીત થાય છે. () એક તરફ તેઓનો આગ્રહ છે કે દેવદ્રવ્યના તમામ પ્રકારોને
સંબોધ પ્રકરણમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારમાં સમાવવા અને બીજી