SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અપાયું નહોતું. નિર્ણયો કરતાં સર્વસંમતિ સધાઈ નહોતી, પરંતુ વિરોધ થયા હતા. વિરોધોની વચ્ચે નિર્ણયો કર્યા પછી સંમેલનમાં હાજર ન હોય તેવા પૂ.આચાર્યાદિ મુનિભગવંતોને એ નિર્ણયો અભિપ્રાયાર્થે મોકલાવ્યા નહોતા – સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન કરાયો નહોતો. ૦ તદુપરાંત, પૂર્વના સંમેલનના ઠરાવો શાસ્ત્રસાપેક્ષ હતા. જ્યારે ૨૦૪૪ના ઠરાવો શાસ્ત્રવિરુદ્ધ હતા. તેથી ઘણા સમુદાયોએ એનો વિરોધ કર્યો હતો. – આથી વાચકો સમજી શકશે કે, વિ.સં. ૧૯૭૬-૧૯૯૦૨૦૧૪ના સંમેલનોની પૂર્વપ્રક્રિયા-સંમેલનનો માહોલ-સર્વસંમતિ અને પછીનું ઉમદા વાતાવરણ સર્વે પવિત્ર હતા. જ્યારે ૨૦૪૪ના સંમેલનમાં બધું જ દૂષિત હતું. નિષ્કર્ષ -આ પ્રકરણમાં આપણે પ્રસિદ્ધ શુદ્ધદેવદ્રવ્યની શાસ્ત્રાનુસારી પરંપરાથી વ્યાખ્યા જોઈ. તે શુદ્ધદેવદ્રવ્યના સદુપયોગ અંગેની વિગતો પણ શાસ્ત્ર અને પરંપરાના આધારે જોઈ. તથા વિક્રમની ૧૯-૨૦મી સદીમાં આયોજાયેલા શ્રમણસંમેલનોના ઠરાવો પણ જોયા. તે પછી વિ.સં. ૨૦૪૪ના શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ જતા ઠરાવો અને એની સમાલોચના પણ જોઈ. આ બધાનું અવલોકન કરતાં વાચકોને સ્પષ્ટ સમજાઈ જશે કે, વિ.સં. ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્ર-પરંપરાથી વિરુદ્ધજતા ઠરાવોનો કેજે મૃતપ્રાય અવસ્થામાં હતા, તેને) સજીવન કરવાનો પુરુષાર્થ જે “ધાર્મિક વહીવટ વિચાર” વગેરે પુસ્તકોમાં થયો છે, તે તદ્દન અયોગ્ય છે. હવે આગળના પ્રકરણમાં શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્યથી અતિરિક્ત જે દેવદ્રવ્યના વિવિધ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે તે જોઈશું અને એમાં પણ તે વર્ગ દ્વારા કરવામાં આવેલા કુતર્કોની સમાલોચના કરીશું.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy