SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જબરજસ્ત પડકાર ઊભો કરવામાં આવ્યો છે અને શ્રીસંઘને ગેરમાર્ગે દો૨વાનો પ્રયત્ન થયો છે. આથી તે કુતર્કોની પણ વિસ્તારથી સમાલોચના આગળ પ્રકરણ-૪માં કરવામાં આવશે. ૧૨ (i) → ૧૯૯૦’ના શ્રમણ સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ એ છે કે - દેવદ્રવ્ય જિનમંદિર-જિનમૂર્તિ : આ બે ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રોમાં વપરાય નહીં. (ii) પ્રભુના મંદિરમાં કે બહાર પ્રભુની ભક્તિ નિમિત્તે બોલાતી બોલી એ સઘળું દેવદ્રવ્ય છે. તે દેવદ્રવ્ય જીર્ણોદ્વારાદિમાં વાપરી શકાય તેવું શુદ્ધ (વ્યાપકપણે જૈનસંઘમાં પ્રસિદ્ધ) દેવદ્રવ્ય છે. પરંતુ તે કલ્પિત દેવદ્રવ્ય નથી. (કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા આગળ કરવામાં આવશે.) (iii) ઉપધાન સંબંધી માળ વગેરેની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. (iv) શ્રાવકોએ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. (v) દરેક સંઘોએ દેવદ્રવ્યની રકમને પોતાના જિનમંદિરના શાસ્ત્રાનુસારી પરંપરાથી સિદ્ધ જીર્ણોદ્વારાદિ કાર્યોમાં યોજવી અને તેમ છતાં જે ૨કમ વધે તેને અન્ય સ્થળે તીર્થોદ્વાર-જીર્ણોદ્વાર-નવીન મંદિરો માટે ફાળવીને લાભ લેવો જોઈએ. (vi) ૧૯૯૦ના સંમેલને બોલીની આવકને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવીને તેનો ઉપયોગ દેરાસરના સર્વ કાર્યોમાં કરવા જણાવ્યો નથી. પરંતુ બોલીની રકમને શુદ્ધદેવદ્રવ્ય તરીકે ગણીને તેનો સદુપયોગ જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્યના નિર્માણમાં કરવાનો કહ્યો છે. (vii) અહીં અગત્યની એક વાત નોંધવી જરૂરી છે કે, વિ.સં. ૧૯૯૦ના સંમેલને અશક્તસ્થળોએ પૂજાની સામગ્રીના
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy