________________
૪૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કિત્તા, નોટબુકો, પેન્સિલો, હોલ્ડરો, ફાઉન્ટન પેનો, શાહીના ખડિયા આદિ જ્ઞાનખાતાના ગણાય. શ્રી જ્ઞાનદ્રવ્યના સદ્વ્યયના પ્રકારોઃ
ખર્ચ ખાતાના કે વ્યક્તિ દ્રવ્યની જોગવાઈન હોય ત્યારે આપદ્ ધર્મરૂપે પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને અધ્યયન-અધ્યાપન કરાવતાં પંડિતજીને વેતન તેમજ પુસ્તક પ્રતાદિ આપવામાં, જ્ઞાનમંદિર નિર્માણમાં, જ્ઞાનભંડાર નિમિત્તે ધાર્મિક પુસ્તકો ખરીદવામાં, ધાર્મિક આગમશાસ્ત્ર લખવા-લખાવવામાં, શાસ્ત્રોની રક્ષા માટે આવશ્યક વસ્તુઓ લાવવામાં, જ્ઞાનપંચમી દિને જ્ઞાન શણગારવા માટે ચંદરવા, પુંઠીયા તેમજ જ્ઞાન ભરવા માટે કબાટો વસાવવામાં, મંદિરોની વ્યવસ્થા, રક્ષા તેમજ તેની શુદ્ધિ, પવિત્રતા જાળવવા માટે રખાતા લૌકિક કર્મચારીઓના વેતનમાં શ્રી જિનાજ્ઞા અનુસાર સમ્યજ્ઞાનને અનુલક્ષીને થતા કોઈ કાર્યમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરી શકાય.
(૧) આ ક્ષેત્ર (જ્ઞાનદ્રવ્ય) પણ દેવદ્રવ્ય જેટલું જ પવિત્ર હોવાથી પૂજ્ય સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા પોતાના અંગત ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ.
(૨) પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ પોતાના અંગત ઉપયોગમાં જ્ઞાનદ્રવ્યનો કે જ્ઞાનમંદિર આદિનો ઉપયોગ ન કરી શકે. તો વ્યવહારિક શિક્ષણમાં કે પાઠશાળા આદિમાં તો જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ શી રીતે કરાય? અર્થાત્ કોઈપણ સંયોગોમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ ન જ કરી શકાય. અંગત ઉપયોગમાં જ્ઞાનમંદિરનો ઉપયોગ ન કરી શકાય. એ તો સ્વાભાવિક છે. પરંતુ વ્યક્તિ સ્વદ્રવ્યથી નિર્માણ કરાવેલ સ્થાનને પણ જ્ઞાનમંદિરરૂપે ઘોષિત કર્યા પછી તે સ્થાનનો પણ અંગત ઉપયોગ ન થાય.
(૩) જ્ઞાનમંદિરમાં સમ્યજ્ઞાનની આરાધના, ઉપાસના, ભક્તિ, અધ્યયન, અધ્યાપન તેમજ જિનાલયમાં સ્થાન સંકડાશના કારણે શ્રી જિનેન્દ્ર પરમાત્મા ભક્તિ મહોત્સવો, પૂજનો કે તદનુરૂપ શ્રી જિનાજ્ઞા વિહિત મહામાંગલિક ધાર્મિક અનુષ્ઠાનો કરી શકાય.
(૪) જ્ઞાનદ્રવ્યથી નિર્મિત જ્ઞાનમંદિરમાં કે સ્વદ્રવ્ય નિમિત વૈયક્તિક