________________
પરિશિષ્ટ-૯
૩૯૩ પૂજન વગેરે. ૩. નાણ, રથ, આંગી વગેરેમાં તેમ જ તેનાં કે મૂર્તિ સ્થાપના કરવાનાં નકરાની. ૪. પ્રભુભક્તિ માટે અર્પણ કરેલી ચીજ વસ્તુઓ અગર તેવી રકમો. ૫. પ્રતિષ્ઠા, ભક્તિ, સ્નાત્ર મહોત્સવ, અંજનશલાકા વગેરેની બોલીઓ. ૬. દેરાસરની જગ્યાની રકમ, તથા ૭. દેવદ્રવ્ય ઉપર જે વ્યાજ આવે તેની રકમ.
ઉપર્યુક્ત વ્યાખ્યામાં જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે તે બાબતોની આવક અગર ઉપજનો હવાલો દેવદ્રવ્ય ખાતે જમા કરવાનો નાખવો જોઈએ.
દેવદ્રવ્યનો ઉપયોગ :- દેવદ્રવ્યને જિનમૂર્તિ અને જિનમંદિર સિવાયના કાર્યમાં વાપરવું નહિ, અર્થાત્ તેનો ઉપયોગ નીચે દર્શાવેલ કાર્યોમાં થઈ શકે.
૧. પ્રભુને આભૂષણ, ટીકા, ચક્ષુ, લેપ આંગી વગેરે કરાવવા. ૨. દેરાસરનો જીર્ણોદ્ધાર તથા રંગરોગાન વગેરે કરાવવા. ૩. નવુ દેરાસર બંધાવવું, તથા બીજા દહેરાસરોને મદદ કરવી. ૪. ધ્વજ, કળશ, ઇંડુ ચઢાવવું. ૫. દહેરાસર અને તેના દ્રવ્યની વ્યવસ્થા અંગે ઉચિત ખર્ચ કરવો. ૬. દહેરાસર અને તેની મિલ્કત અંગેના કરવેરા તથા વિમાનું પ્રિમિયમ વગેરે આપવું. સાધારણ દ્રવ્ય -
અને ટ્રસ્ટીઓ સાધારણ દ્રવ્ય અંગેની નીચેની માન્યતા દર્શાવે છે.
વ્યાખ્યા - દેરાસર અંગેનું ખર્ચ, કે જે દેવદ્રવ્યનાં ખાતામાં નાખી ન શકાય તેને માટે ઉપાશ્રયમાં કે બહાર ઉભું કરાતું ફંડ કે ભંડોળ કે કોઈ પણ સાધારણ ખાતાની આવક અગર ઉપજ હોય અગર થાય. તેનો નીચે દર્શાવેલ કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ.
૭-૮. કેસર, સુખડ, બાદલું વગેરે પ્રભુપૂજાના દ્રવ્યો ખરીદવાનું, પૂજા કરનાર કે દર્શન કરવા આવનાર લલાટે તિલક કરે, કે પૂજા માટે કેસર, ચંદનનો ખર્ચ, તથા ન્હાવાનો કે હાથ પગ ધોવાના પાણીનો, તથા લૂછવાના કપડા, તથા પગ લુછણીયું વગેરેનો ખર્ચ કરે તે દેવદ્રવ્યમાંથી કરવાનો નથી. અંગલુછણાં, વાળાકૂચી, કળશ, કુંડી આદિ વાસણો ધૂપદાની, ફાનસ વગેરે ખરીદવાનું. ૯. ધૂપ-દીપ માટે ઘીની બરણી, ઇલેકટ્રિક રોશની વગેરે અંગેની ચીજ વસ્તુઓ