SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૮ સાત ક્ષેત્રની આવક અને સવ્યયની વ્યવસ્થા – લેખકઃ મુનિશ્રીહેમરત્નવિ.મ. (નોંધ મુનિશ્રી હેમરત્નવિ.મહારાજે (પછીથી આચાર્યે પોતાના “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય તથા પૂજારીના પગાર અને શ્રાવકની જિનપૂજા અંગે જે માર્ગદર્શન આપ્યું છે તે અહીં મૂકીએ છીએ.) (૧) જિનમૂર્તિ દ્રવ્યઃ આવકઃ જિનમૂર્તિના નિર્માણ માટે આવેલ દ્રવ્ય તથા જિનપ્રતિમાજીની ભક્તિ માટે આવેલું દ્રવ્ય જિનમૂર્તિ દ્રવ્ય કહેવાય છે. સદુપયોગ - (૧) જિનમૂર્તિ ભરાવવા માટે. (૨) જિનમૂર્તિને લેપ કરાવવા માટે. (૩) જિનમૂર્તિના ચહ્યું, ટીકા, તિલક, આંગી બનાવવામાં. (૪) જિનમૂર્તિની અંગ રચનાદિ કરવામાં. (૨) જિનમંદિર દ્રવ્યઃ આવક - (૧) પરમાત્માના પાંચ કલ્યાણકોને અનુસરીને બોલાતી ઉછામણી. (૨) સ્વપ્ન અવતરણ દર્શનાદિની ઉછામણી. (૩) અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી. (૪) શાંતિસ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ મહોત્સવોમાં જિનભક્તિને લગતી તમામ ઉછામણીઓ. (૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ. (૬) ઉપધાન માલારોપણની ઉછામણી. (૭) તીર્થ માલારોપણની ઉછામણી. (૮) રથયાત્રાદિની ઉછામણી. (૯) ગુરુપૂજનમાં તેમજ ગહુલીમાં આવેલી રકમ. (૧૦) દેવદ્રવ્યનાં મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક તથા દેવદ્રવ્યના વ્યાજની આવક. (૧૧) મંદિરમાં પરમાત્માને ભેટ કરેલાં છત્ર, ચામર, ભંડાર, ફરનિચર આદિ. (૧૨) પરમાત્માને ધરેલાં ફળ, નૈવેદ્ય, ચોખા વગેરે. (૧૩) આરતી, મંગળ દીવાની ઉછામણી તથા
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy