SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દૂધ થોડુંક પણ જો ચોખ્યું હોય તો લોહી કરે, પાણી નાખીને એનું પ્રમાણ વધારવાથી લાભને બદલે નુકસાન જ થાય. જૈન ધર્મ આચારથી વિસ્તરે, થોડોક કે ઘણો એ સવાલ જ અસ્થાને છે. એવી ઇચ્છા જ ખોટી છે. થોડોક પણ શુદ્ધ આચાર પાળતો એક જૈન, જૈનશાસનનો રક્ષક છે. નામજૈનોનાં ટોળાં ભેગાં કરવાથી તો જે દશા કોંગ્રેસની થઈ તે જ દશા જૈનોની થાય. (નીચેનું લખાણ આજના સંજોગોમાં તો કેટલું સચોટ છે? બહુમતિ કઈ તરફ? અભ્રાન્ત પુરુષો કઈ તરફ છે? જે વાચતાં ખ્યાલ આવશે.) ભ્રાન્ત પુરુષોની દુનિયામાં બહુમતી છે, તેથી તેમનો બ્રાન્ત મત વધુ ફેલાવો ધરાવે છે. અભ્રાન્ત પુરુષો થોડા છે માટે સત્ય મત ઘણા નાના વર્તુળમાં રહ્યો છે. જમાનો બહુમતીની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય. (નેવું ટકા કઈ બાજુ છે અને માત્ર એક આચાર્યનો જ વિરોધ છે તેવું લખનાર-બોલનાર આ લાઈન ફરીથી વાંચે.) લાખ ભરવાડ મણિને કાચનો કટકો કહે તેટલા માત્રથી મણિ કાચનો કટકો બની શકતો નથી. શ્રી જિનશાસન બહુમતી ઉપર કોઈ પણ પ્રશ્નનો નિવેડો લાવતું નથી. જિનમતિએ જ સત્ય નિર્ણય છે. ભલે પછી એની સામે બહુમતીની અશાંતિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય. શ્રી જિનશાસનમાં શાન્તિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતી-શાન્તિની નહિ જ, એમ થાય તો શાન્તિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતાં શાન્તિની કિંમત વધી જાય. સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ! (D) પં.શ્રી ચંદ્રશેખર વિ.ગણીનો સંમેલનનો આઠ માસ પૂર્વેનો પત્રઃ (ગુરુદ્રવ્યના પૈસા દેવદ્રવ્યમાં જ વરસોથી લઈ જવાની પ્રણાલિકા છે, એ જ પ્રણાલિકા શાસ્ત્રીય અને વ્યાજબી છે અને વૈયાવચ્ચમાં લઈ જવાથી ઘણાં નુકશાન
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy