________________
૩૫ર
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જો આવી કોઈ નક્કર શાસ્ત્રમર્યાદા ન હોત તો એ રકમ ક્યારની રવાડે ચડી ગઈ હોત! એ પછી જિનમંદિરોના ઉદ્ધારનો ફાળો કરવા માટે શ્રીમંતો પાસે કોઈ જાતનો એક નયો પૈસો પણ જડત નહિ. કેમ કે, હવે એમને તો સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલો અને અનાથાશ્રમોમાં જ સંપત્તિનો એકાંતે સદ્વ્યય દેખાવા લાગ્યો છે ! એવા મોટા માણસોને “બે શબ્દો કહેવાય પણ શી રીતે ! માનવું જ ન હોય ત્યાં કહેવાનો અર્થ શો!
પૈસા-પૈસા ખાતર સગા ભાઈ સાથે ય કોર્ટના પગથિયે ચડતાં જરાય નહિ શરમાતાં અને બુઢા થયેલાં મા-બાપને ય ચાર ભાઈઓ વચ્ચે ૩-૩ મહિના વહેંચીને ખોડાંઢારની જેમ સાચવતાં લોકોને દૂરદૂરના સાધર્મિકો ઉપર અગાધ ભક્તિ ઊભરાઈ ગઈ છે ! અને તે ય દેવદ્રવ્યના પારકા પૈસે? ધન્યવાદ એમની બુદ્ધિમત્તાને! એ મુસાભાઈઓને
| (અગત્યની નોંધઃ “અશક્ત શ્રાવકે ફુલ ગુંથવા, સામાયિક કરવું” એમ કહેનારા લોકો ગરીબ શ્રાવકનો પૂજા કરવાનો અધિકાર ઝુંટવી લે છે એવી પણ વાતો થાય છે. તેના સંદર્ભમાં સળગતી સમસ્યા ભાગ-૧ના પાન નં. ૩૯-૪૦૪૧ ઉપરનો પ્રશ્નોત્તર સુંદર પ્રકાશ પાડનારો છે. એ ઉત્તરનું છેલ્લું વાક્ય અત્યંત મહત્ત્વનું છે. “સહુએ પોતાના અધિકાર મુજબનો ધર્મ આરાધવો ઘટે.” તે નીચે મુજબ છે.)
સવાલઃ (૩૧) ઉપધાનમાં માળારોપણની, પર્યુષણાપર્વમાં સ્વપ્ન અંગે, દેરાસરજીમાં અષ્ટપ્રકારી પૂજા અંગેની ઉછામણી બોલાય છે તે બધાયમાં પૈસાદારોને જ કેમ મહત્ત્વ અપાયું છે? આ બધી ઉછામણી ધનના માધ્યમથી બોલાય એટલે ગરીબ માણસનો તો અહીં “કલાસ' જ નહિ ને? શું એને ધર્મ કરવાનો અધિકાર નથી? મૌન, જાપ, સામાયિક, તપ, વગેરેના માધ્યમથી આ ઉછામણી ન બોલાય?
જવાબઃ શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે વ્યવસ્થા કરી છે તે અત્યંત સમુચિત છે. એમાં કશો ય ફેરફાર આત્મઘાતક બની જવા સંભવ છે. સહુ જાણે છે કે, જૈનોના દેરાસરોની જે જાળવણી છે અને એનું જે શિલ્પ-સ્થાપત્ય છે એ