SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧૬) અમદાવાદ શાહપુર, મંગળ પારેખનો ખાંચો જૈન ઉપાશ્રય, સુદ ૧૪ ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમલાલ રતિલાલભાઈ મુ. વેરાવળ. યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. સમાચાર સર્વે જાણ્યા. ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારોની હકીકત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશો. દઃ ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ.મ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે.) (૧૭) શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા.વ. ૧૦ પરમપૂજય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી પાર્થવિજયજી મહારાજ આદિ ઠાણા ૬ તરફથી. દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું જે તમારા તરફથી પત્ર મળ્યો. વાંચી વિગત જાણી. જવાબમાં જણાવવાનું : ચૌદ સુપન, પારણાં, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બિલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠો છે. દઃ જિનેંદ્રવિજયના ધર્મલાભ.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy