________________
૩૩૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઘોડીઆ, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી નથી. માટે ઉપધાન વગેરે ઘીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી. એ જ ધર્મસાધન કરશો.
(૧૩) પગથીયાનો ઉપાશ્રય, હાજા પટેલની પોળ,
અમદાવાદ શ્રાવણ સુદિ ૧૪ સુશ્રાવક અમલાલ રતિલાલ યોગ ધર્મલાભપૂર્વક લખવાનું જે દેવ-ગુરુ પસાયથી અત્રે સુખશાતા છે. તારીખ ૧૦-૯-૫૪નો લખેલો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા, એ સંબંધમાં જણાવવાનું કે :
ચૌદ સ્વખ, પારણાં ઘોડીયાં સંબંધીની તથા ઉપધાનની માળા આદિની ઉપજ દેવદ્રવ્યમાં જાય. સાધારણ ખાતામાં લઈ જવી ઉચિત નથી. આ બાબત રાજનગરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલનનો ઠરાવ સ્પષ્ટ કરે છે. એ જ ધર્મસાધનામાં ઉદ્યમશીલ રહેશો.
લી. આ. વિજયમનોહરસૂરિના ધર્મલાભ
(૧૪)
તળાજા તા. ૧૩-૮-૫૪ લી. વિજયદર્શનસૂરિ આદિ.
તત્ર દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલ યોગ્ય. વેરાવળ બંદરે ધર્મલાભપૂર્વક તમોએ ચૌદ સ્વપ્ન તથા ઘોડિયા પારણાની તથા ઉપધાનની માળાની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવી કે દેવદ્રવ્ય ખાતામાં લઈ જવી તે પૂછાવ્યું છે તે બાબતમાં જણાવવાનું કે પ્રામાણિક પરંપરા જે ચાલી આવતી હોય તેમાં ફેરફાર કરવો તે ઉચિત જણાતું નથી. તે પરંપરા તોડવામાં આવે તો બીજી પણ અનેક પ્રામાણિક પરંપરા તૂટી જવાનો ભય રહે છે. અત્યાર સુધી તે ઉપજ દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવી છે માટે તે રીતે વર્તન કરવું એ જ ઉચિત જણાય છે.