________________
૩૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
कौन खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरासें आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करने का फरमाया है । अतः वर्तमान वातावरण में उक्त कार्य में ढिलापन नहि होने देना वरना आपकों आलोचना के पात्र बनना पडेगा । किमधिकम् । हिमालचसूरि का धर्मलाभ.
વિ
(૯)
પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સ્વપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ., લબ્ધિસૂરિજી મ., નેમિસૂરિજી મ., સાગરજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રક્ત રહેશો. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨
(૧૦)
દાઠા (જિ. ભાવનગર) શ્રાવણ સુદ ૧૨
પૂ. પા. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. સા. તથા મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજ.
વેરાવળ મધ્યે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ....
ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો. વાંચી બિના જાણી છે તે પ્રશ્નના જવાબમાં જાણવું જે સુપન પ્રભુજીના માતાને પ્રભુજી ગર્ભવાસ કરતાં પ્રભુના પુણ્યબલે જોવામાં આવે છે. જેથી તે વસ્તુ પ્રભુજી-દેવસંબંધીની જ ગણાય છે. ઉપરાંત માળાદિની વાત સંબંધમાં તીર્થમાળા તે પણ શ્રી પ્રભુજીના દર્શન-ભક્તિ નિમિત્તે સંઘો નીકળતાં સંઘ કાઢનાર સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવતી એટલે તીર્થમાળા પણ પ્રભુજીની ભક્તિ નિમિત્તે થયેલ કાર્ય માટે પહેરાવવામાં આવતી જેથી તેની ઉછામણીનું દ્રવ્ય પણ દેવનું જ દ્રવ્ય ગણાય છે. તીર્થમાળાદિ કહેતાં સર્વ પ્રકારની માળા સંબંધી સમજવું. વળી સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદ મધ્યે સાધુ સંમેલન મળેલ, ત્યારે પણ આ સંબંધી ઠરાવો થયેલ છે, તેમાં પણ તે દ્રવ્યને