________________
34
તેમના પુસ્તકોના પ્રવચનાંશો સંગૃહિત કરેલા જ છે. તેના ઉપર દૃષ્ટિપાત કરવા વિનંતી – ભલામણ છે.)
(૬) આટઆટલા પ્રયત્નો કરવા છતાં તે વર્ગને શ્રીસંઘોમાં પોતાની બદલાયેલી માન્યતા મુજબની વ્યવસ્થા ગોઠવવામાં સફળતા ન જ મળી. એટલે થોડા વર્ષો તે વર્ગ થોડો થોડો શાંત રહ્યો.
(૭) એ પછી તે વર્ષો વર્ષો પહેલાંની પ્રચારની શૈલી બદલી.
(i)
તેમાં પુસ્તક લખીને પોતાની માન્યતા મુજબનો પ્રચાર કરવાને બદલે પોતાની બદલાયેલી (શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ) માન્યતા મુજબના સાતક્ષેત્રાદિના વહીવટના ચાર્ટ બનાવ્યા.
(ii) એ ચાર્ટ નાનકડી પુસ્તિકારૂપે કે પેમ્પલેટ રૂપે પ્રચારવાનું કામ મુંબઈ આદિ શહેરોમાં ચાલું કર્યું.
(iii) આસો સુદ-૪, રવિવાર, તા. ૨૮-૯-૨૦૧૪ના રોજ પં. શ્રીમેઘદર્શન વિ.મ.ની નિશ્રામાં આયોજિત મુંબઈના બધા સંઘોના મોડવીઓનું મિલન’ - આમાં શ્રીસંઘના અગ્રણી શ્રાવકોને એક પેમ્પલેટ રૂપે તે ચાર્ટ અપાયો હતો.
(iv) વિ.સં. ૨૦૬૮, આસો સુદ-૧૫ના રોજ ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના ચાર પરિમાર્જકશ્રીઓ દ્વારા જુલાઈ-૨૦૧૩ના ‘મુક્તિદૂત માસિક'માં એ ચાર્ટ આપવામાં આવ્યો.
(v) વિ.સં. ૨૦૭૦માં અંતરિક્ષજી મુકામે પં.શ્રી ચંદ્રશેખરવિ.મ.સા.ના શિષ્ય મુ.શ્રીવિમલહંસ વિ.મ.સા.ની નિશ્રામાં વિદર્ભના ૬૦ સંધોના ટ્રસ્ટીઓનાં સમેલનમાં ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” આ નામની ચાર પરિમાર્જકશ્રીઓના નામથી (ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. જયઘોષસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રીવિ.રાજેન્દ્રસૂરિજી મ.સા., આ.શ્રી.હેમચંદ્રસૂરિ મ.સા. અને આ.શ્રીજયસુંદરસૂરિજી મ.સા. આ ચાર લેખકશ્રીઓના નામથી) પ્રકાશિત થયેલ ચાર્ટવાળી નાનકડી પુસ્તિકા