SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૧૭૨ છે. પરંતુ પ્રભુભક્તિ નિમિત્તે એ દ્રવ્યરાશી એકઠી થયેલી હોવાથી કે ફંડ રૂપે મૂકાયેલી હોવાથી એ દેવદ્રવ્ય બનેલી છે અને આવું અમે અમારા ઘરનું નથી કહેતા. પરંતુ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં અવધારણબુદ્ધિથી સંકલ્પ-નિર્ધારબુદ્ધિથી (શ્રાવકોનું પોતાનું પણ ધન) દેવદ્રવ્ય બનવાનો શાસ્ત્રપાઠ આવે છે. તે નીચે મુજબ છે - * દ્રવ્યસપ્તતિકાનો પાઠ : ओहारणबुद्धिए देवाईणं पकप्पिअं च जया । जं धणधन्नप्पमुहं तं तद्दव्वं इहं णेयं ॥२॥ = અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું. वृत्ति: ओहारणेत्ति । अवधारणबुद्ध्या भक्त्यादिविशिष्टनियमबुद्धया देवादिभ्यो यद्धनधान्यादिकं वस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्वेन देवाद्यर्थं इवेदं अर्हदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्द्रव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः । અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે ‘યોગ્યપણે, શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના માટે નહીં' આવી પ્રકૃષ્ટ બુદ્ધિનાં (ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા) વિષયરૂપ બનાવવામાં આવી હોય, તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ. → અહીં ઉલ્લેખનીય છે, તેવા પ્રકારની અવધારણબુદ્ધિથી શ્રાવકોની જે ધનરાશિ વગેરે દેવદ્રવ્ય બને છે, તે વાસ્તવમાં તો શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે. તેથી તેવા દેવદ્રવ્યથી મહોત્સવાદિ થાય તે દેવદ્રવ્યથી થયા એમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં એ શ્રાવકોનું સ્વદ્રવ્ય જ હોય છે. એટલે ભગવાનની ભક્તિ માટે દૃઢ સંકલ્પપૂર્વક નિશ્ચિત કરેલ ધન (શ્રાવકનું પોતાનું હોવા છતાં) તે દેવદ્રવ્ય બને છે અને એવા દેવદ્રવ્યથી (વાસ્તવમાં સ્વદ્રવ્યથી)
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy