________________
૧૬૩
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય જે વર્ગ ચલાવે છે, તે પાયા વિનાનો છે. તેમાં નીચેના પૂરાવા પર્યાપ્ત છે. (૧) વિ.સં. ૨૦૨૦માં બૃહદ્ મુંબઈમાં સ્વપ્ન વગેરેના ચઢાવાની
બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હિલચાલ ચાલતી હતી, ત્યારે તે હિલચાલને પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે અટકાવી હતી અને એવો ખોટો નિર્ણય થવા દીધો નહોતો. એ વખતે પૂજ્યપાદ આ.ભ.શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના પ્રભાવક શિષ્યરત્નના એ કાર્યને અટકાવ્યું
નહોતું, પરંતુ સમર્થન આપ્યું હતું. (૨) પૂર્વનિર્દિષ્ટ વિવાદમાં “સ્વપ્નદ્રવ્ય” અંગે થયેલા પત્રવ્યવહારમાં
ગુરુ-શિષ્ય બંનેના પત્રો એકસમાન શૈલીમાં લખાયેલા જોવા મળે
છે. તે પરિશિષ્ટ-રમાં આપેલાં છે. (૩) કાચા ખરડારૂપે મધ્યસ્થસંઘને લખાયેલા પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના
પત્રમાં “શ્રાવકની જિનપૂજાની જે વિધિ દર્શાવી છે. તે જ પ્રમાણેની વિધિ “ચારગતિનાં કારણો' પુસ્તકમાં જણાવવામાં આવી છે. આ પણ ગુરુ-શિષ્યની માન્યતામાં સમાનતા બતાવે છે. ગુરુવર્યનો શિષ્ય ઉપરના વિશ્વાસને પ્રગટ કરતો મહત્ત્વનો પુરાવો તો પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો “
દિવ્યદર્શન મુખપત્ર'માં છપાવેલો પત્ર છે. (દિવ્યદર્શન, વર્ષ-૧૦, અંક-૩૫, શનિવાર, તા. ૨-૬૧૯૬૨, પૃ.-૧) પ્રમોદભાવનાના માહોલમાં પ્રકાશિત થયેલ એ પત્ર અવશ્ય પઠનીય છે. પૂ.આ.ભ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ (મધ્યસ્થ સંઘને જણાવવા) પોતાના અભિપ્રાયનો કાચો મુસદ્દો તૈયાર કરાવી તેમાં સુધારા-વધારા સૂચવવા અંગે પોતાના શિષ્યરત્ન પૂ.આ. શ્રીરામચંદ્રસૂરિમાને (જે ત્યારે દિલ્લી તરફના વિહારમાં હતા, તેમને) મોકલ્યો. તેઓએ તેમાં ઘણા સુધારા-વધારા સૂચવતો પત્ર લખી