SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૩ઃ વિવાદાસ્પદ મુદ્દાઓ: અનેક પ્રશ્નો: ૫૫ વાળા પાઠો દેવદ્રવ્ય સામાન્યથી (શુદ્ધ-પૂજા-કલ્પિત-નિર્માલ્ય દેવદ્રવ્યથી) શ્રાવક પ્રભુપૂજા કરી શકે, તે બતાવનારા-સિદ્ધ કરનારા છે કે નહીં? (૪|૧) “સતિ હિ દેવદ્રવ્ય” ઈત્યાદિ એ પાઠોમાં કયા પ્રકારનું દેવદ્રવ્ય ગ્રહણ કરવાનું છે? સામાન્ય દેવદ્રવ્ય કે વિશેષ દેવદ્રવ્ય? (૫) શું સંબોધ પ્રકરણમાં બતાવેલા ત્રણ પ્રકારો જ દેવદ્રવ્યના છે કે, તેનાથી વધારે પણ પ્રકારો છે? અને તમામ પ્રકારના દેવદ્રવ્યને એ ત્રણ પ્રકારમાં સમાવવું જરૂરી છે કે નહીં? (/૧) સંબોધ પ્રકરણ ગ્રંથમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારના દેવદ્રવ્યના ખાતા હાલ કોઈ સંઘોમાં પાડવામાં આવે છે કે નહીં? એ ખાતા અલગ પાડવામાં ન આવે તો ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય કે નહીં? (૫૨) એવી પરિસ્થિતિમાં સંઘ દોષનો ભાગીદાર બને છે. તે દોષના નિવારણ માટે તમામ પ્રકારના દેવદ્રવ્યનો સમાવેશ સંબોધ પ્રકરણમાં બતાવેલા ત્રણ પ્રકારના (દેવદ્રવ્યના) ખાતામાં કરી શકાય કે નહીં? (૬) દેવદ્રવ્ય અંગે વિ.સં. ૨૦૪૪ના સંમેલને વિ.સં. ૧૯૯૦ના સંમેલન જેવો જ નિર્ણય કર્યો છે કે અલગ કર્યો છે? (૬/૧) જો અલગ કર્યો છે, તો વિ.સં ૨૦૪૪ના સંમેલનના નિર્ણયો શાસ્ત્રબાધિત છે કે નહીં? (૬૨) વિ.સં. ૧૯૯૦ના સંમેલન કરતાં વિ.સં. ૨૦૪૪ના સંમેલને પ્રભુપૂજા અને પૂજારીના પગાર માટેની વ્યવસ્થા શ્રેષ્ઠ બતાવી છે કે કનિષ્ઠ? શાસ્ત્રસાપેક્ષ બતાવી છે કે શાસ્ત્રનિરપેક્ષ? | (૭) “વિજય પ્રસ્થાન અને વિચાર સમીક્ષા' પુસ્તકમાંપૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ “દેવદ્રવ્યથી જિનપૂજા માટેના કેશર સુખડાદિદ્રવ્યો લાવી શકાય એમ કહ્યું છે,” એવો સામેવાળાનો પ્રચાર સાચો છે કે નહીં?
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy