________________
પર
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પરિશિષ્ટ-૨માં પણ અમુક પત્રો આપ્યા છે.
→ આ રીતે દેવદ્રવ્યના પ્રકારોની અને તેના સદુપયોગની ભેદરેખા સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે. તે સમજવાથી એ વર્ગ ક્યાં ક્યાં કુતર્કો કરી સુવિહિત પરંપરાને તોડે છે, તે પણ સમજાઈ જશે અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તક અને આ. અભયશેખરસૂરિ મ. લિખિત “દેવદ્રવ્ય અને જિનપૂજા” પુસ્તક તથા મુક્તિદૂતમાં છપાયેલી વાતો તથા આ.શ્રીવિ. જયઘોષસૂરિજી મ.સા. વગેરે ચાર-ચાર લેખકો દ્વારા લિખિત “ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” પુસ્તકની વિગતો પણ કઈ રીતે ભેળસેળવાળી છે - શાસ્ત્રાનુસારી પરંપરાનો દ્રોહ કરનારી છે - પોતાના જ પૂર્વના વિધાનોનો અપલાપ કરનારી છે - તે સમજાઈ જશે. એની વિશેષ વિચારણા આગળના પ્રકરણોમાં કરીશું.
-