SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 2 Twાવ - કદ અને જમીનની પ્રકરણ ર૩ મું ૨૩૭ પરમેશ્વર જેવા છે, તે તેમને અનુભવ શબ્દોથી લેશ પણ થતું નથી. નારંગીના સ્વાદને અનુભવ કરવા માટે જાતે નારંગી વાપરવી પડે છે, તેમ પરમેશ્વરનો અનુભવ કરવા માટે પરમેને પૂજનાદિ વડે પ્રત્યક્ષ કરવી પડે છે. જે-જે વસ્તુ અગમ્ય હોય છે, તે તે વસ્તુના સ્વરૂપનું અનુભવજ્ઞાન મનથી તે તે અગમ્ય વસ્તુઓમાં એકાગ્ર બનવાથી થાય છે. એડીસને વીજળીના વિવિધ ધર્મ અને તેને ઉપયોગ શી રીતે શોધી કાઢયે? જેનું જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું, તેમાં તેમાં મનને તથા વિચારને એકાગ્ર કરવાથી ! રહસ્ય-જ્ઞાનને પ્રકાશ કરનારી એકાગ્રતા એક દિવસે થતી નથી, મનની ચંચળતા અભ્યાસ વિના ટળતી નથી. આથી પરમેશ્વરનું અગમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા ઈરછનારે, પરમેશ્વરમાં એકાગ્ર થવાની પ્રથમ આવશ્યકતા છે અને પછી તેને પગથિયે-પગથિયે અભ્યાસ કરવાની બીજી જરૂર છે, એકાગ્રતાનું પ્રથમ પગથિયું મૂર્તિ પૂજન છે. મૂર્તિ અને તેની પૂજામાં નહિ માનનારા ભલે એમ કહે કે“અમે મનને નિરાકાર ઈશ્વરમાં એકાગ્ર કરવા શક્તિમાન છીએ અને તેથી અમારો અધિકાર ઈશ્વરની માનસિક-પૂજા કરવાનું છે પરંતુ તેમનાં નયન, વચન અને વર્તન સ્પષ્ટ દર્શાવે છે કે આ વાતને વર્તનમાં મૂકવી સહેલી નથી ! એકડેએક ભણ્યા વિના ગણિતના મેટા માંટા કેયડા છોડવા કેઈ સમર્થ થતું નથી, તેમ એકાગ્રતા સાધવાના ક્રમ વાર પગથિયાં ચઢયા વિના કેઈથી એકાગ્રતા સાધી શકાતી નથી. પ્રત્યેક પ્રકારની એકાગ્રતા સાધના–પછી તે વિદ્યા વિષયક હે, કળા વિષયક હે, વ્યાપાર વિષયક હો કે અધ્યાત્મ વિષયક હે, પરંતુ આરંભમાં મૂર્તિ લેવો જ પડે છે. અને આ મૂર્તિમાં મનને જોડવાના અભ્યાસથી ક્રમે-ક્રમે અંતકરણનું બળ વધતાં વધારે સૂક્ષ્મ પદાર્થો કે ધર્મોમાં એકાગ્રતા સાધી શકાય છે. મૂતિ પૂજનમાં અંત:કરણનું બળ વધવાના જે-જે નિયમ છે, તે સંર્વ આશ્ચર્યકારક રીતે જાઈ જાય છે. મૂર્તિમાં ઈશ્વરની ભાવના કરી, મૂર્તિપૂજક તેનું પૂજન-અર્ચન કરે છે, તેથી તે સમયે તેના જાફ કરે ,
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy