SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું ૧૯ - ક કપ મ * * * * * * * * * * * * * * * * * (૧૪) ટીકાકાર મહારાજા શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી આવશ્યક વૃત્તિમાં પૂજા, પુણ્યના અનુબંધને કરવાવાળી તથા બહુ નિર્જરાના ફળને દેનારી છે, એમ બતાવ્યું છે. (૧૫) શ્રી અભયદેવ સૂરિજીએ પૂજાનું ફળ બતાવતાં કહ્યું છે. જે કે શ્રી જિનપૂજામાં સ્વરૂપહિંસા દેખાય છે, છતાં પણ તે પૂજા કરવાથી ગૃહસ્થ-કૂવાના દાન્ત શુદ્ધ થાય છે તથા પરિણામની નિર્મળતાથી અનુક્રમે મુકિતફળને પણ મેળવે છે. (૧૬) ગુણવર્મા રાજાના સત્તર પુત્રમાંથી દરેક પુત્રે એક–એક પ્રકારની પૂજા કરી તથા તેઓ એજ ભવમાં મોક્ષે ગયા. એમ સત્તર પ્રકારની પૂજાના ચરિત્રમાં કહ્યું છે. સત્તર પ્રકારી પૂજાનું સવિસ્તર વર્ણન, શ્રી રાયપરોણી સૂત્રમાં છે. (૧૭) શ્રી જિનપ્રતિમાની પૂજા-ભક્તિ કરવાથી શ્રી શાન્તિનાથ પ્રભુના જીવે શ્રી તીર્થકર ગેત્ર બાંધ્યું હતું, એમ શાસ્ત્રો જણાવે છે. (૧૮) શ્રી ભગવતી સૂત્રમાં તીર્થંકર પરમાત્માના નામ, ગાત્ર સાંભળવાથી પણ મહા પુણ્ય થાય છે એમ કહ્યું છે. તે પ્રતિમામાં તેમનું નામ તથા સ્થાપના બને છે. એટલે તે બંનેની પૂજા હોવાથી વિશેષ પુણ્ય થાય, તેમાં શી નવાઈ ? (૧૯) શ્રી શ્રેણિક રાજાએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની આરાધનાથી તીર્થકર નેત્ર બાંધ્યું. એ અધિકાર શ્રી યોગશાસ્ત્રમાં છે. (ર૦) શ્રી મહાનિશીથ સૂત્રમાં–શ્રી જિનમંદિર કરાવનાર બારમા દેવલોક જાય એમ ફરમાવ્યું છે. ઈત્યાદિ સેંકડે મૂળ સૂત્ર તથા નિર્યુક્તિ આદિના પ્રમાણેથી મૂર્તિપૂજા ઉત્તમ ફળને આપનારી સિદ્ધ થાય છે. નક્કર આ પ્રમાણેની અવગણના કરીને કેટલાક માણસે, પિતામાં આત્મિક ધન હવાના નિશ્ચયને આગળ કરી, દ્રવ્ય રહિત કેવળ ભાવને જ પિકારે છે, પરંતુ એ નિશ્ચય તરફ લઈ જનારા વ્યવહારરૂપે દ્રવ્યપૂજને જતી કરે છે. આ પ્રકારના હુંપદ કે અહંકારથી જે આત્મિક ધન હોય છે, તેને પણ તેઓ ગૂમાવી દે છે તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એક દષ્ટાન્ત છે. - કે કાકા ને * * * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy