SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રતિમા પૂજન *ife + + અ * * ' S * * * - ર - - કાગલની રોટલી ખાવી. કારણ કે-પાણે ગરમ કરવાથી હિંસા થશે તથા રસોઈ કરતી વખત તે કાયજીવનો નાશ થઈ જવાનો. આ તમામ વથા તર્ક છે. પૂજાની જે ઉચિત રીતિ છે અને પરંપરાથી ચાલી આવે છે, તેને ફેરવી નાખવાથી ભયંકર અનર્થ સિવાય બીજું પરિણામ આવે નહિ. કાગલના ફૂલ કે ગુલાબજળથી પૂજા કે દાન દેતાં આજ્ઞાભંગનો મહાન દેાષ તે લાગે જ છે, પરંતુ તે સિવાય બીજા પણ અનેક દેશેની પરંપરા જન્મે છે. ભક્તિના બદલે કેવળ અભક્તિ અને આશાતના જ થાય છે. જેઓ મેજશેખ કે સાંસારિક કાર્ય પ્રસંગે એ ફૂલના હાર, ગજરા વિગેરે બનાવરાવી પાસે રાખે છે અને રખાવે છે તથા તેમાં સેંકડો ફલેની હિંસા થઈ જાય તેના પાપને જરા પણ ખ્યાલ ધરાવતા નથી, તેઓ પૂજામાં વપરાતાં ફૂલે, કે જે પ્રભુના અંગ ઉપર નિર્ભવ સ્થાને ચઢે છે, તેમાં મોટું પાપ લાગી જવાના ભયને આગળ ધરે છે, માટે તેઓની ચતુરાઈ આડે માર્ગે ચઢી ગયેલી છે, એમ સમજવું જોઈએ. એવું કુશિક્ષણ આપનાર ગુરુને સામે લેવા જતાં, તે ગુરુઓના દીક્ષા તથા મરણના મહોત્સવમાં, સેંકડો કોસ વાંદવા જતાં અને વ્યાખ્યાનસભા ભરતાં –એ વિગેરે કૃત્યો માં એકેન્દ્રિય ઉપરાંત વિલેનિદ્રય, પંચેન્દ્રિય સુધીના જેની પ્રત્યક્ષ હિંસા થાય છે. તે નહિ જોતાં પૂજામાં એકેન્દ્રિય જીની હિંસાને આગળ કરવી, તે શ્રી જિનપૂજા રૂપી મહાન ધર્મથી સ્વયં ભ્રષ્ટ થવા સાથે અન્યને ભ્રષ્ટ કરવા માટે છે. પ્રાય: એવું કઈ પણ ધર્મકાર્ય નથી, કે જેમાં હિંસાને લેશ માત્ર પણ ન હોય. એટલા ખોતરે જ ધર્મકાર્ય ત્યાજ્ય હોય, તે જગતમાં એક પણ કાર્યને ઉપાદેય ગણું શકાશે જ નહિ. Liાના કt * * * * * * * * *, જા - - - - - - - - - - -
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy