SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું ૧૧૭ ઉત્તર- સ્ત્રીના સંઘટ્ટાને દેષ ભાવ અરિહંતને આશ્રયીને છે. પ્રતિમા તે શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના છે, સ્થાપના-અરિહંતને તેના સંઘટ્ટાથી કઈ પણ દોષ ન લાગે, સૂત્રમાં સુવર્ણ, રજત તથા સ્ત્રી પુરુષ અને નપુંસક વગેરે ઘણી વસ્તુઓના નામે લખેલાં હોય છે. તે બધા તે-તે નામના અક્ષરોની સ્થાપના છે. તથા તેમાં ચિત્રો પણ હોય છે. જે સ્થાપના અને ભાવમાં સમાન દેષ લાગવાની કલ્પના કરાય, તે તેને હાથમાં લેવાથી સાધુસાધ્વીઓના મહાવતે ચાલ્યા જવા જોઈએ પણ તેમ નથી. શાસ્ત્રો તે તમામ મૂનિગણ પિતપતાના અધિકાર અનુસાર હાથમાં લઈને વાંચે છે, તેમાં દેવલોકના દેવ દેવીઓનાં ચિત્રે નારકીએનાં ચિત્રો વગેરેને સૌ કોઈ સ્પર્શ કરે છે. તથા વર્તમાનપત્ર અને પુસ્તકમાં સ્ત્રી-પુરુષના ફેટાઓ તથા ચિત્રે પાને-પાને રહેલાં હોય છે. તેને બ્રહ્મચારી મુનિવરો આદિ પણ સ્પર્શ કરે છે, તે તે તમામમાં શીલત્રત રહે કે ભાંગી જાય ? ચિત્ર વગેરેને સ્પર્શ કરવાથી શીલવત નષ્ટ થઈ જતું હોય, તે પછી જગતમાં શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર કોઈ જડશે જ નહિ. માટે જેમ ચિત્રે પુરુષાદિની સ્થાપના છે, તેને પશે કે સંઘટ્ટ થવાથી બ્રહ્મચારીને દેષ નથી, તેમ મૂતિ એ શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના છે, તેને સ્ત્રી આદિના સે ઘટ્ટો થવાથી દેષ કેમ લાગે ? સાધુ લીલી વનસ્પતિને હાથ ન અડાડે, છતાં ગ્રન્થમાં ઠેર ઠેર ઝાડી કે વનસ્પતિઓનાં ચિત્રે આવે છે, તે તેને સ્પર્શ કરતાં વન સ્પતિના સંઘટ્ટાને દોષ લાગે ? ન જ લાગે. આથી સિદ્ધ થાય છે કેભાવ અરિહંત અને સ્થાપના અરિહંત ઉભયને આશ્રયીને એકસરખા દોષનું આરોપણ થઈ શકે નહિ, તેમ કરવા જતાં મહા અનર્થ થાય. બીજી વાત-તાળાકુંચીની : પ્રતિમાજી એ ભગવાનની સ્થાપના છે. તેની રક્ષા માટે મંદિરાદિને તાળાં લગાવવામાં આવે, તેથી તે ઉલટી ભક્તિ થાય છે, નહિ કે દેષ લાગે છે. વ્યક્તિને પોતાને મન જે વસ્તુ કિંમતી હોય છે, તેની સુરક્ષાને શ્રેષ્ઠ પ્રબંધ તે કરે જ છે. તેમ સર્વ કાળના તત્ત્વજીવી મહેષિઓએ જીવલેકિને તરવાના અનન્ય સાધનરૂપ શ્રી જિન પ્રતિમાને સદા સુરક્ષિત રાખવાના શ્રેષ્ઠ પ્રબંધને - - - - - - - - ત *! - 11 - ક ' * * * * * તા. આજના
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy