SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ઓછી થાય કાનના અરિહંત પરમાત્મા સમાન પૂજનિકપણું ઉત્પન્ન થાય છે. વળી, “મૂતિ સ્તુતિને સાંભળે છે કે નહિ ? એ સવાલ જ અગ્ય છે. કારણ કે તે પત્થરરૂપ મૂર્તિનાં ગુણગાન કરવામાં નથી આવતાં, પરંતુ જેની તે મૂતિ છે, તે દેવાધિદેવની સ્તુતિ અને પ્રાર્થના કરવામાં આવે છે. મૂર્તિની સ્તુતિ પ્રાર્થના અને ગુણગાન કરવાથી અમૂર્ત આત્માના પ્રદેશમાં કર્મનાશક જે પ્રતિક્રિયા શરૂ થાય છે, તે મૂર્તિ સિવાયની ભક્તિથી થઈ શકતી નથી, કારણ કે મૂર્તિમાં તથા પ્રકારના ભાવને પ્રદીપ્ત કરવાનું અસાધારણ સામર્થ્ય રહેલું છે. તેથી મૂર્તિની સ્તુતિ કરવી તે સર્વથા ઉચિત છે. પ્રશ્ન ૧૩-શ્રી જિનપ્રતિમાની સ્તુતિ કરવાની સર્વોત્તમ રીત ઉત્તર-શ્રી જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વરદેવના નામ તથા ગુણોનું આરોપણ કરી, પ્રતિમા સમક્ષ શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી એ સર્વેત્તમ રીત છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વર્તમાન અવસર્પિણ કાળના ચોવીસે શ્રી જિનેશ્વર ભગવંતની જે સ્તુતિ (સ્તવને) રચ્યાં છે. તેને વડે સ્તુતિ કરવાથી, અપૂર્વ ભાલ્લાસ સ્પર્શે છે. તેમજ એવી બીજી ઉત્તમ સ્તુતિઓ પણ જન-ભક્તિ સાહિત્યમાં વિદ્યમાન છે. અણમોલ આ શ્રુતને લાભ લે તે આપણા હાથની વાત છે. જેમ પોતાના પૂર્વજોની છબી જઈ, સર્વ કઈ તેમની તારીફ કરે છે. તે સાંભળી ચિત્ત પ્રસન્ન થાય છે અને તે તારીફથી પિતાના પૂર્વ જેને આદર મળતું હોવાની લાગણી થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની સ્તુતિ કરવાથી સાક્ષાત શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ થાય છે -તેવી લાગણી ભાવિકેને થાય છે. આવી લાગણી ન થવી તે લાગણીહીનતા છે, જાતિહીનતા છે, કારણ કે તે પ્રતિમા એ પરમાત્માની છે, કે જેઓનાં ઉપકારની કઈ સીમા નથી ! પોતાના પરમ ઉપકારીની પ્રતિમા જેઈને પણ ન હરખાનારા તો કૂતળી જ ઠરે ને ! પિતાના ઉપકારીનું સતત સ્મરણ-મનન જીવને ઉપકાર બુદ્ધિ ગેરે અને નિરહંકારી બનાવે છે. તેમ શ્રી જિનમંદિરમાં જઈને જગ પ્ર. પૂ. ૭ K * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy