________________
રેખાઓ હોય તે ઠીક નથી; કારણ કે તે મામુલી-સામાન્ય માણસ ગણાય છે.
(૨૩) જેના હાથમાં કમલનું ચિહ્ન હોય તે હંમેશા આંનદસુખ ભોગવે. અને જેના હાથમાં ભાલાનું નિશાનહોય તે જંગ કરવામાં-લડાઇ લડવામાં બહાદુર થાય છે.
(૨૪) જેના હાથની દશે આંગળીઓમાં ચક્રનું નિશાન હોય તે જૈનમુનિ અથવા રાજ હોય, નવ ચક્ર હોય તો દિવાન થાય, આઠ ચક્ર હોય તો હંમેશા લક્ષ્મી પાસે રહે, પરંતુ માંદો રહે, સાત ચક્ર હોય તો સુખી, છ ચક્ર હોય તો કામી અને પાંચ-ચાર-ત્રણ-બે તથા એક ચક્ર હોય તો ગુણવાન થાય છે.
(૨૫) જેના બન્ને હાથની આંગળીઓ અને અંગુંઠા પૈકી જમણામાં દક્ષિણાવર્ત્ત અને ડાબા વામાવર્તમાં શંખ હોય તો તે દરેક પ્રકારે સુખી થાય છે.
(૨૬) જેના હાથની આંગળીઓમાં અથવા અંગૂઠામાં છીપનું ચિહ્ન હોય તે મોહનીય કર્મના ઉદયથી દુ:ખ પ્રાપ્ત કરે.
(૨૭) જે મનુષ્યની અનામિકા આંગળીના ત્રીજા વેઢાથી કનિષ્ઠા આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય લક્ષ્મીવાન અને સુખી થાય. તેમજ જેની મધ્યમા આંગળીની ત્રીજા વેઢાથી તર્જની આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય નશીબદાર-ભાગ્યશાળી નિવડે છે.
(૨૮) જેના હાથની આંગળીઓ ઉભી કરવાથી પરસ્પર મળેલી રહે-વચમાં છિદ્ર ન દેખાય તે મનુષ્ય લક્ષ્મી એકઠી કરે અને કંજૂસ થાય. જેની વચમાં અંતર પડેલું જણાય એટલે વચમાં છિદ્ર દેખાય તો તે મનુષ્ય દિલનો ઉદાર અને લક્ષ્મી સંપાદન કરવામાં બહાદુર
થાય.
(૨૯) જેની અનામિકા આંગળીના મૂળથી કનિષ્ઠા આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુધ્ધિમાન હોય, તેમજ જેની મધ્યમા આંગળીના મૂળથી તર્જની આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિમાન, ઉપદેશક અને ચતુર હોય.
(૩૦) અનામિકા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી રેખા હોય તેટલી તે મનુષ્ય હકુમત ભોગવે. અને ઊભી રેખા જેટલી હોય તેટલી તેની ધર્મ ઉપર શ્રદ્ધા સચોટ બની રહે.
(૩૧) મધ્યમાં આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી અને ઉભી રેખા હોય તેટલી તે મનુષ્યની હકુમતમાં અને ધર્મશ્રદ્ધામાં અપૂર્ણતા-ઊણપ હોય. અનામિકાથી મધ્યામા આંગળીનું ફળ ઊલટું કહ્યુ છે. કનિષ્ઠા આંગળીના નીચેના બે વેઢાઓમાં જેટલી ઊભી રેખાઓ હોય તેના પ્રમાણમાં તે મનુષ્ય સુખચેનનો ભોકતા થાય.
(૩૨) તર્જની, મધ્યમા અને અનામિકા આંગળીના વચલા વેઢામાં જેટલી ઊભી કનકકૃપા સંગ્રહ
૪૪૫