SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયા તદ્દન અપૂર્વ (નવા) છે,' એવા ભ્રમ તેમને સતત રહ્યા કરે છે. આવા જીવા વિષયવિરક્તિથી થતા પ્રશમં રૂપ અમૃતનું આકંઠ પાન કરી કયારે તૃપ્ત બનશે ? તેઓ પરમસુખમયી એવી વીતરાગ દશાને કયારે પામશે ?” એ જાતની કરુણા વિષયાત જીવા પ્રત્યે ભાવવી જોઇએ. “ આ ભવચક્રમાં ખાલ, વૃદ્ધ વગેરે સર્વ જીવાની સામે ભયનાં અનેક કારણેા સમુપસ્થિત થાય છે. આવા સચૈાગેામાં તેમનું માનસ સતત ભયગ્રસ્ત રહે છે. ભયભીત જીવા સર્વ પ્રકારના ભયેાથી કયારે સર્વથા મુક્ત થશે ? સર્વ ભયેાથી રહિત એવી જિતભય' (માક્ષ) અવ સ્થાને તેઓ કયારે પામશે ?” આ પ્રકારે કરુણા ભાવના ભયભીત આત્માઓને ઉદ્દેશીને કરી શકાય. મરણનું' દુ:ખ અધાં દુ:ખાને ટપી જાય તેવું છે. અધા જીવા જીવન ઇચ્છે છે, મરણ કેાઈ પણ ઇચ્છતું નથી, છતાં જીવન આયુકથી અધિક વધારી શકાતું નથી અને મરણુ આવ્યા વિના રહેતું નથી. જ્યારે મરણુ સામે દેખાય છે અને તે જ વખતે જેમના સચૈાગમાં પેાતે ખૂબ ખૂબ રાગ કેળવ્યો છે, એવાં ઘન, પુત્ર, સ્ત્રી, વગેરેના વિયાગ પણ સામે આવીને ઉભા રહે છે, ત્યારે તે મરણુ અને વિયાગના વિચાર જીવને અકથનીય પીડા આપે છે. આવી પીડાને અનુભવનારા પ્રાણીઓને જિનવચનામૃત પ્રાપ્ત થાઓ, તે અમૃતદ્વારા તેએ અજર અમર અને,’ વગેરે રૂપ કરુણા ભાવના મારણાન્તિક પીડાને અનુભવનારા જીવા પ્રત્યે કરી શકાય. < ૧૭
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy