SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે સંકળાયેલી હોય છે, છતાં “પરહિત ચિંતા મિત્રી” અને ‘પર દુઃખ પ્રહાણેચ્છા કરુણું” એ વ્યાખ્યાઓથી તે બેને પૃથફ કરી શકાય તેમ છે. મત્રીભાવનાની સાધનામાં નીચેના છ પગથિયાં ગોઠવી શકાય તેમ છે (૧) “જેમને મારા પર ઉપકાર છે, તેમની સાથે હું મિત્રની જેમ જ રહીશ, તેમને દ્રોહ હું કદી પણ કરીશ નહિ,” એવી ભાવના શરૂઆતમાં કેળવવી જોઈએ. આ ભાવનાથી કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ થાય છે. કૃતજ્ઞનું કામ કરવા માટે સહુ કોઈ પ્રેરાય છે. " (૨) ઉપરનું પહેલું પગથિયું સિદ્ધ થયા પછી, આપણી મૈત્રીભાવનાનો વિષય બધા જ સ્વજન બનાવવા જોઈએ. આ ભાવનાથી સ્વજનેમાં સંપ થાય છે અને તસંબંધિ અનેક કલેશને અંત આવે છે. ૩) પછી, આપણી નિશ્રામાં રહેલ વ્યક્તિઓ (નેકરવર્ગ વગેરે) પ્રત્યે મિત્રતા કેળવવી જોઈએ. (૪) પશ્ચાત્, આપણા સંબંધમાં આવતી સર્વ વ્યક્તિઓને મિત્રની આંખે જોવું જોઈએ, આવી ભાવનાથી સહુ કેઈ આપણી મિત્રતાને ઈચ્છવા લાગે છે. | (૫) તદનંતર, આપણી મિત્રીભાવનામાં અનુક્રમે સાધાર્મિક, ગ્રામ, પ્રાંત, દેશ અને માનવજાતને સમાવેશ કરવું જોઈએ. (૬) અંતમાં, આપણે સર્વ જીવેના મિત્ર બનવું જોઈએ. ૧૨
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy