SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા એ માધ્યચ્યને જ એક પ્રકાર છે. હિંસા રૂપી પાપ સ્વાર્થ, વૈર, વગેરેનાં કારણે થાય છે. માંસભક્ષણ વગેરેમાં થતી હિંસાનું કારણ સ્વાર્થ છે; તે રાગરૂ૫ છે. વરનાં કારણે થતાં ખૂન વગેરે દ્વેષ રૂપ છે. આવી રીતે હિંસા રાગ અથવા Àષથી થાય છે, જ્યારે અહિંસામાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, તેથી તે માથથ્યને જ એક પ્રકાર છે. અસત્ય વચનની પાછળ પણ સ્વાર્થ, ભય, વગેરે અનેક કારણે હોય છે, તે બધાને સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. રાગ કે દ્વેષ હોય ત્યારે જ અસત્ય વચન બેલાય છે, સત્ય વચન વખતે તે બંનેને અભાવ હેવાથી સત્ય પણ માધ્યય્યનું જ એક અંગ છે. આવી રીતે સર્વ વ્રતમાં, સર્વ નિયમમાં યોગના સર્વ અંગમાં, યોગની સર્વ દષ્ટિએમાં, સર્વ આગમાં અને સર્વ અનુષ્ઠાનોમાં સર્વત્ર માધ્યચ્ચને જોતાં શીખવું જોઈએ, માધ્યચ્યભાવના તેથી અધિક અધિક દઢ બનતી જાય છે. માધ્યઐવિના શ્રેષ્ઠ પ્રકારનું જીવન સંભવતું જ નથી. જાણતાં કે અજાણતાં લગભગ બધા માણસે અનેક પ્રસંગમાં માધ્ધથ્યનું અવલંબન લે જ છે. જ્યારે આપણું સ્વાથ્યને બાધ ન કરે તે આહાર (જરૂરીઆત કરતાં અધિક પણ નહિ અને ન્યૂન પણ નહિ) આપણે લઈએ છીએ, ત્યારે શું એ મધ્યસ્થતા નથી? માનસિક, વાચિક કે કાયિક બળેનું જ્યાં જ્યાં યથાર્થ રીતે-સમત્વપૂર્વક નિયંજન છે, ત્યાં ત્યાં માધ્યચ્ચ છે, એમ સમજી લેવું જોઈએ.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy