SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે, તેને જ પોતાનું સર્વસ્વ માને છે, તેવું માન કદાચ. પૈસાથી મળતું હોય તે તે લેવાનું ચુકતા નથી, મહેનતથી. મળતું હોય તે તેમ પણ મેળવે છે. હવે લોભ ગળે વળગે છે. ગમે તે ભોગે પૈસે મેળવજ, દુનિયામાં “વસુ વિના નર પશુ આ કહેવત તે ખરી માને છે. પૈસા માટે વિશ્વાસ ઘાત, લાંચ, રૂશવત, કપટ-પ્રપંચ કરવાને હવે તે ચુક્ત નથી, દેશ પરદેશ ખેડે છે, રાત્રી દિવસ મહેનત કરે છે, ન કરવાના ધંધા વ્યાપાર કરે છે, આરંભ સમારંભના કામ કરતાં અચકાતું નથી, અનેક યંત્ર ચલાવે છે, વન કપાવે છે, ઈંટ નિભાડા પચાવે છે, ખાણે છેદે છે, જમીન ફેડે છે, ભાડાંઓ કરે છે, દાંતને, લાખને, પશુઓને, દારૂઆદિને, અફિણઆદિને પણ વ્યાપાર કરે છે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરી પાપથી પૈસે પેદા કરે છે અને પછી લેકમાં સારે ધર્મિષ્ટ ગણાવા આબરૂ વધારવા ધર્મને નામે પૈસા અભિમાનવૃત્તિથી ખરચે છે. દુનિયાં વાહવાહ બેલે તેથી તે પિતાને કૃતાર્થ માને છે. આ સ્થળે ધર્મનું નામ નથી છતાં મિથ્યા અભિમાનમાં ધર્મને ધારી ગણાવવા મહેનત કરે છે. કેઈ સત્ય માર્ગ બતાવે તે પિતાનું અપમાન સમજે છે. વિશેષમાં સ્વાથી ગુરૂઓના પાસમાં તે સપડાઈને અધર્મને ધર્મ માનતે થાય છે. આ બધાં કર્મ આશ્રવને આવવાનાં કારણે છે. આત્મધર્મના અપ્રમત્તતાના શિખરથી પડેલા આત્માની કેવી કેવી વિશ્વમાં વિટંબના
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy